SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ લાખેણી જાય [ ૧૧૪ રહે પણ રમે નહીં ! શાસ્ત્રોમાં ત્યાં સુધી ફરમાવવામાં આવ્યું છે કે, સમ્યક્ત્વ સહિત જીવ નરકમાં હોય તે તે પ્રશંસનીય છે અને તેનાથી રહિત કદાચ સ્વર્ગમાં હોય તો પણ તે પ્રશંસનીય નથી. સમ્યકુદ્રષ્ટિ જ મે માર્ગમાં છે. જ્યારે હજી મિથ્યાત્વની મંદતા પણ ન થઈ હોય તેવા તીવ્ર મિથ્યાદ્રષ્ટિ જીવે તે બિચારા ભવ માર્ગમાં જ છે. જિનેશ્વર ભગવંતે એ કહેલાં તમાં જીવની સમ્યક અભિરૂચિ તેને સમ્યક શ્રદ્ધાન કહેવામાં આવે છે. સમ્યક શ્રદ્ધાન એજ સમ્યક્ દર્શન છે. તત્ત્વને શ્રદ્ધાન વડે પવિત્ર બનેલે આત્મા તથા પ્રકારનાં કર્મનાં ઉદયે ભવસમુદ્રમાં રહ્યો હોય, પણ તેમાં તે રમતે ન હોય. ગમે તેવા જડ અંગે તેની સામે હેય પણ સમકિતીને તેમાં તીવ્ર આસક્તિ ન થાય. સમકિત થાય એટલે તે ઘર છેડી જ દે ને સાધુજ બની જાય, તેવું એકાંતે નથી. સમકિતી અમુક કાળ ઘરમાં રહે પણ ખરો, પણ તે તેમાં રમે નહીં. આ સમકિતીની ખરેખરી વ્યાખ્યા છે. રહે ને રમે તેમાં તે આકાશ-પાતાળ જેટલું અંતર છે. રહેવું ચારિત્રમેહનીયના ઉદયે થાય અને રમવું એ મિથ્યાત્વમેહનીયના ઉદયે થાય છે. માટે રહેતું હોય ને તેમાં રમતું ન હોય તે જીવ પાપ ઘણું ઓછા બાંધે. જેમ ભાણે બેસીને જમતે હોય પણ તેમાં રસ ન પિષત હોય તે કર્મથી લેપતે નથી, બલ્ક ખાતાંખાતો પણ કર્મ ખપાવી નાખે. જ્યારે કઈ પણ ચીજને ભેગવટો ન કરતે હોય, કેવળ મનથી જ તેની ઝંખના કર્યા કરતે હેય, છતાં તે કર્મથી બંધાય છે. આ છે જેને
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy