SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ રસાધિરાજ [ ૮૬ પાલકની આખરી નિર્દયતા આવી ચિંતવના કરતાં તે મુનિઓ આવા મરણાંત ઉપસર્ગનાં સમયે પણ એવા તે સ્વ-સ્વરૂપમાં લીન બની જાય છે કે, એક એક પછી કેવલજ્ઞાનને પામી ચાર ને નવાણું મુનિવરે અંતકૃત કેવળી થઈને મોક્ષે સિધાવ્યાં. હવે છેલ્લે એક બાળ મુનિને વારે આવ્યું. એટલે બંધક આચાર્યે પેલા પાલકને કહ્યું, આ બાળ મુનિ છે માટે પ્રથમ મને પીલી નાંખ! આ બાળ સાધુને પીલાતા મારી નજરે હું નહીં જોઈ શકું. મને ઘણું દુઃખ થશે ત્યાં પાલકે વિચાર્યું, મારે તે આને જેમ વધારે દુઃખ થાય તેમજ કરવાનું છે. એટલે બંધક આચાર્યના દેખતાં જ તે બાળ મુનિને પણ તેણે પીલી નાખ્યાં. બાળ મુનિએ પણ પિતાના આત્માને શાન્તરસમાં એ તરબળ બનાવ્યો કે તેઓ પણ મેક્ષે સિધાવી ગયા. જુઓ આ “રસાધિરાજ” શાન્તરસને કેટલે અપૂર્વ મહિમા છે! ઘાણીમાં પીલાવાના ટાઈમે મુનિઓનાં શરીરમાંથી લેહીનાં જાણે બિંદુઓ ઉછળતા હતા, પણ તેમના આત્મામાં એ સમયે પણ જાણે શાન્તરસનાં કુવારાં ઉડતા હતા. ભેદજ્ઞાનની દશા આને કહેવામાં આવે છેઆતે બધી ભૌતિક સુખ–સગવડતાઓ ભેગવવી અને ભેદવિજ્ઞાની કહેવડાવવું તે પછી દુનિયામાં અજ્ઞાની કોણ કહેવાશે? આનું નામ સ્વરૂપ સ્થિતિ કેઈ મહાત્માએ સઝાયમાં લખ્યું છે કે,
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy