SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રાધિરાજ [ કર અધ્યાત્મના સુખ સિંધુ આગળ પૌદગલિક સુખ બિંદુ સમાન - પૂ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે कांताधर सुधास्त्रादायुनां यज्जायते सुखम् । बिन्दुः पाव तदध्यात्म शास्त्रास्वाद सुखोदघेः ॥ યુવાન પુરૂષને પિતાની કાંતાને અધરરૂપી સુધાના આસ્વાદથી જે સુખ ઉપજે છે તે સુખ લેગીઓનાં અધ્યાત્મરૂપી સુખ સમુદ્રની આગળ માત્ર એક બિન્દુ રૂપ છે. એકલાં નામ અધ્યાત્મ કે દ્રવ્ય અધ્યાત્મથી તેવું સુખ મળતું નથી. ભાવ અધ્યાત્મજ તેવા સર્વોત્તમ સુખને સાધી આપે છે. પિતાની પિતામાં રમણતા અથવા આત્માની જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં ૨મણુતા તેને જ ભાવ અધ્યાત્મ કહેવામાં આવે છે. ભલે આત્માનાં શુદ્ધ સ્વરૂપની વ્યાખ્યાઓ ખૂબ કરતા હેય પણ લેશપણ અંદરમાં નિજ ગુણની રમણતા ન હોય, કેવલ પુદ્ગલ ભાવમાં જ રચ્યા-મસ્યા અને પડ્યા રહેતા હોય, તેવાને નામના અથાભી કહ્યા છે. ઉપર ઉપરથી સમાધિ લગાવેલી હોય અને અંદરમાં લેશ પણ અધ્યાત્મને ઉપગ ન હોય તેને દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. અધ્યાત્મમય જીવન જીવનારાની મૂર્તિની સ્થાપના કરવી તેને સ્થાપના નિક્ષેપ કહેવાય,
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy