SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ રુક્મી રાજાનું પતન એ નવાજી લેતા ! વીતરાગની ભક્તિ માટે ધન પરિવારના રાગ કાપવા પડે, ધનપરિવારને જતા કરવા પડે. ને ભક્તિ પાછળ કાંઈ જોખવાનુ ન હોય, ભાગ આપવાને હાય નહિ તા એ ભક્તિમાં જોસ શી રીતે આવે ? મેલેા, ભગવાનની રાજની ભક્તિ પાછળ જાતનું કાંઈ ખર્ચ વાનું રાખ્યું છે ? એક રૂપિયાની વરખ થેકડીના પાનાં સેાળ, એમાંથી રાજ કદાચ એક આખું પાનું નહી સહી, પણ અડધું ય પાનું પ્રભુને છાપા, તે ય મહિને માત્ર એક રૂપિયાના ખર્ચ લાગે. આટલે ય ભાગ આપવાને નિયમ છે ? ભાગ આપ્યા વિના લુખ્ખા ભક્તિગુણુ ખળવાન શી રીતે બનતા જતા હશે ? એના પર અધ્યવસાયનું જોસ કેમ વધે ? પૂર્વ પુરૂષાના ચરિત્રોમાં માત્ર એક કમળપૂજા, અક્ષતપૂજા, ફળપૂજા વગેરે પર જિનભક્તિગુણ પ્રખળ થઈ અધ્યવસાયધારા વધવામાં સ્વનાં પુણ્ય ઊભા કરી દીધાનું આવે છે, તે આ ભાગ દેવા પર. કુમારપાળના જીવે પૂર્વ ભવમાં અત્યંત ગરીખીમાં પાંચ કોડીનાં ફૂલથી પૂજા કરવામાં જિનભક્તિ ગુણ અને અધ્યવસાય એવા પુષ્ટ કર્યો કે એના પર અહી અઢાર દેશનું રાજ્ય એ તેા મામુલી વસ્તુ, પણ ગણુધરપણાનુ પુણ્ય ઊભું કરી દીધું! પાંચ કેાડીની સસ્વ મૂડી લગાવી દેવાના ભાગ આપ્યા ત્યારે ભક્તિ થઈ, શુભ અધ્યવસાયધારા વધી, એથી પુણ્ય અને સંસ્કાર જમા થયા. શું સમજીને ? આ જ કે વાહ ! કેવા મારા તરણતારણુ જિન !
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy