SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ રુક્મી રાજાનું પતન છે, સનાતન છે, ધર્મ સિવાયની બધી ય મન-વચનકાયાની દોડધામ, ઇન્દ્રિયાની અને વૃત્તિએની ગમે તેટલી દોડધામ એ વિનશ્વર છે, સરવાળે જીવનના અંતે શૂન્યમાં ઊતરનારી અને નવા જીવનમાં ફેર નવી ધમાચકડી ઊભી કરનારી છે. જીવની એમાં જીત નથી, જીવને હારવાનું છે, પસ્તાવાનું છે. જીવનભર અહી કરેલી એ બધી ધાંધલ જ્યારે મૃત્યુકાળે ધૂળમાં મળી જતી દેખાય ત્યારે શું ખેઢ સંતાપ ઓછે થાય છે ? શા સારૂ આવી ક્ન્નુલ સનેપાતિયા અને ભૂતાવેશથી થવા જેવી દોડધામ-ધમાચકડીમાં માનવભવના અતિ અમૂલ્ય કાળ અને શક્તિએ વેડફી નાખવી ? ધમ શાશ્વત કેમ ? : • કુરા તા ધમ જ કરો, બેલા તા ધમમય જ બેલે, કાંઈ પણ વિચારો તે ધ વાસિત જ વિચારો પાળા, પાષા, સિ ંચા, વધારા, તેા એક માત્ર ધમ જ.’ શરણે જાઓ, સહારા લે, આધાર રાખે તે તે એકલા ધર્મના જ. કેમકે ધર્મ જ શાશ્વત છે, આત્મામાં તન્મય કરેલા એ, જીવન પૂરૂં થાય છતાં આગળ સાથે ચાલે છે, વિકાસ પામે છે, પરાકાષ્ઠાએ પહોંચી કાયમી સંગમાં આવી જાય છે, માટે શાશ્વત. હું ભવ્યાત્માએ ! ધમ એકલા જ પ્રવર છે, ઉત્તમ છે, સુંદર છે. એની તાલે તેા શું, પણ એના લાખમા ભાગે પણ સંસારની કઈ વસ્તુ ઉત્તમ, સુંદર અને સુખદાયી છે?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy