SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ -૩૬૬ રમી રાજાનું પતન તત્વદષ્ટિ પર લઈ જાય છે. એટલે જુઓ એ કે ઉદ્દગાર કાઢે છે! અને એથી સાંભળનાર કેવા શુભ ભાવમાં આકનર્ણાઈ આવે છે! બોલ એનું નામ કે જે પ્રશાન્ત દિલમાંથી 'ઊઠે અને બીજાને પણ કષાયના ઉપશમ તરફ ખેંચે. મહાવીર ભગવાન ફરમાવે છે, “હે ગૌતમ ! જો પેલી બ્રાહ્મણી કહે છે... સગાં પિતાનાં છે? “હે વહાલાઓ ! દરમાં રહેલા ઝેરી સાપથી જાતને ડીસાવાનું ન થવા દેશે. પાણી વિનાની નદી આગળ પાણીની આશાએ ઊભા ન રહેતા. વગર દોરીને ફસા–બંધનસમા સગાઓને માટે મેહ અને અજ્ઞાનવશ એમ માનતા નહિ કે “આ મારે પુત્ર! આ મારી દીકરી ! આ મારે પિતરે! આ પુત્રવધુ ! આ જમાઈ! આ મા ! આ બાપા ! આ પત્ની ! આ મારા મનગમતા પ્રેમાળ રૂપાળા વહાલા સગા નેહીઓ-પરિવાર !” આવું માનતા નહિ; કેમકે અહીં પ્રત્યક્ષમાં એ બધું જૂઠું નીવડતું દેખાય છે, એક વખતના મારા વહાલા-વહાલા કરેલા પણ દુશ્મન બની બેસે છે! એ બધી ય સગાઈ મિથ્યા છે, જુઠ્ઠી છે. બધા જ સગાંનેહી સ્વાર્થી છે, પિતાનું કાર્ય સરતું હોય ત્યાં સુધી જ સગાઈ–મહાબત રાખે છે. પિતાનું કાર્ય સરી ગયું, હવે સામ પિતાને કેઈ કામમાં આવતે લાગતું નથી, પછી વહાલા કરવાનું ગયું.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy