SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૦ રુમી રાજાનું પતન () મંદિરમાં આડા-અવળા વિચાર કે બહારના વિચારમાં શું હું નથી કરતા ને? (૫) દર્શન ખાલી હાથે કરવા નથી આવતે ને? (૬) પૂજાનાં દ્રવ્ય મારાં પિતાનાં વાપરું છું ખરે? (૭) દર્શન-પૂજાને સાચો ઉદ્દેશ –“જે ભવ-વૈરાગ્યની વૃદ્ધિ અને સર્વવિરતિની તમન્ના, તે શું હું એ કરી રહ્યો છું ખરે?” આવું પિતાના આત્માનું હિત તથા પિતાને વાંક વિચારવાનું કેટલું? અને કારભારી, પૂજારી, દર્શન-પૂજા કરનાર, વગેરે અંગે બખાળા કાઢવાનું અને બળતરા કરવાનું કેટલું? જે જે, બીજાના અંગે બખાળા-બળતરામાં રમનારને પિતાના આત્માને વિચાર જ પ્રાય: નહિ રહેતો હોય. આપણું પિતાની જ તપાસ કરીને, દેખાશે એમાં, કે બીજાની બૂરાઈઓ પર બળતરા કર્યા કરવામાં આપણી જાતનું જ વિચારવાનું ભૂલી જઈએ છીએ. એથી જ ભલે આપણે કેઈ ધર્મક્રિયા કે વ્રત-તપજપ કરતા હોઈએ, પરંતુ એ તેવા પ્રબળ શુભ ભાવભર્યા થતા નથી. એથી તેવા બળવાન અંતરાયક્ષય અને પુણ્ય પાર્જન નીપજતા નથી કે જેની શુભ અસર બીજા પર પણ પડે.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy