SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૨૩ જિણસારખી, એ ન્યાયે આ તે ખરેખર દેવાધિદેવ વીતરાગ ભગવાન છે. એમના અંગ અંગ પર કેવી સરસ વીતરાગતા શોભી રહી છે! કેવા ઉત્તમ આ પ્રભુના આભપરાકમ કે દેવતાઈ સન્માન-સેવા મળવા છતાં પણ જરાય રાગ ન કર્યો! રતિ ન કરી ! રાગદ્વેષ ફગાવી વીતરાગ બન્યા ! શાતા પૂછનાર ઈન્દ્ર પર રાજીપે નહિ, ને ભયંકર જુલ્મ કરનાર સંગમ પર અરૂચિ નહિ!” આ બધું જોવાને બદલે શા માટે પ્રતિમાના ઘાટ પર અટકી જવું ? એની પાછળ જે વીતરાગની સ્થાપના છે એમની વીતરાગતા, એમના એ પ્રાપ્ત કરવાના ભગીરથ પુરુષાર્થ અને એ વીતરાગના અનંત ઉપકાર જ મનમાં ન લાવીએ? પછી શિપની બેટી તુલના અને સુઘડ શિલ્પ પર રાજી કરવા દ્વારા બીજા ઓછી કારીગરીવાળા પ્રતિમાજી પર અરુચિ કરવાનું પાપ તે ન બને. પ્રમાદ કયા કયા ?વાત આ ચાલે છે કે પતિ-અરતિ એ પણ પ્રમાદ છે. એને ટાળો એમ, જીવની અજતના-અરક્ષા, હિંસા, સહસા પણ જૂઠ, જરાક શી પણ અનીતિ-અપ્રામાણિક્તા સહેજ પણ સ્ત્રી પ્રત્યે રાગભરી દષ્ટિ, કે તણખલાને પણ પરિગ્રહ, એ બધાય પ્રમાદ છે. નિંદા, વિકથા, કુથલી, આળ, ચાડી, એવું જ એકે એક ઇન્દ્રિયના દરેકે દરેક વિષયની આસક્તિ આકર્ષણ અને એ–વાળો વિચાર પણ પ્રમાદ. એમ લેશ પણ ક્રોધ, અભિમાન, માયા, લેભ-મમતા અને તૃષ્ણ એ પણ પ્રમાદ, એનું સેવન ટાળવાનું.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy