SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ઈકરાર કરી એ માયાના વળ ઉકેલી શકે? એટલે એના વળ એમ જ પિતાના આત્મામાં જામ પડ્યા રહેતા દેખી હિંયા પર અપરંપાર ભાર લાગે! (૧) ત્યારે સરળ જીવને જીવન પણ ફેરૂં અને મૃત્યુ પણ ફે. એ સમજે છે કે “પાપ કર્યા છે, પણ માયાથી નહિ; તે ઉપરાંત ગુરુ પાસે આલેચના કરી કરી પ્રાયશ્ચિત્ત પણ લીધાં છે; એટલે હૃદય ફેરું છે. હવે સરળ હૃદયે એ પાપની ફરીથી ગર્લાનિંદા કરવા દે. શાસ્ત્ર દુષ્કૃતગર્તા વારંવાર કરવાનું કહે છે. કેમ વારૂ ? કારણ કે એથી દુષ્કતની હેયતા–ત્યાજ્યતાનું ભાન જીવતું જાગતું રહે; અને એ ભવરિથતિ પકવવાને એક મહાન ઉપાય છે એમ પંચસૂત્ર શાસ્ત્ર કહે છે. (૨) સરળતા ગુણને લીધે બીજાને વિશ્વાસ પણ સંપાદન કરી શકાય છે. માયાવીને કેઈ ભરોસો કરતું નથી. સગી બાયડી પણ વિશ્વાસ નહિ મૂકે, છોકરો ય નહિ મૂકે. ત્યારે જેની સાથે વર્ષો રહેવું છે, જેની સાથે વારંવાર કામ પડે છે એને વિશ્વાસ ગુમાવ, પછી એ લેકે શંકાની દૃષ્ટિએ વ્યવહાર રાખ્યા કરે, એમાં શી મજા આવે? ધણીએ રૂ.૫૦૦ લાવીને પત્નીને આપ્યા અને કહે “ આ રાખજે, ત્યાં પત્નીને શંકા રહ્યા કરે કે “કેમ આપતા હશે ? કેણ જાણે એમના મનમાં શેય ભેદ હોય ? તે શું થવાનું ? રૂપિયા આપવા છતાં પત્નીને સદુભાવ મેળવી શકાવાને નહિ. ત્યારે પતિ જે રૂપિયા આપવાને
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy