SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૫૯ કુમારપાળ મહારાજાએ ચોમાસાના નિયમોમાં બ્રહ્મચર્ય અંગે એવી ધારણા રાખી હતી કે મનથી એને ભંગ થાય તે ઉપવાસ કરે. કદાચ આવા બે-ચાર ઉપવાસને દંડ ભેગા , પછી મનની મંજાલ છે કે ભંગનો વિચાર કરે ? અને મન કાબૂમાં આવ્યું તે વાણી અને કાયા તે સીધાદોર ચાલવાના. કુવિકલ્પ રોકવા માટે આવી કઈ સજા રાખો છો? અરે ! નાની ય સજા રાખી છે કે ખોટો વિચાર આવે તે ૧૨ નવકાર ગણી લેવા ? એક નવકાર વાળી ગણતાંય આટલી જ ટેક રાખેને કે “વચમાં બીજે વિચાર પિસે તે ત્યાં ફરીથી નવકારવાળી શરૂ કરવી. ભલે શરૂ શરૂમાં બે–ચાર-પાંચ વાર ફરી ફરી શરૂ કરવી પડે, પણ પછી જોજે મન કેવું પાધરું દેર થતું આવે છે. મૂળ, અશુભ ભાવના અને અથાગ કર્મબંધનો ભારે ભય લાગ જોઈએ, “આ ઉત્તમ ભવમાં અધમ ધંધા કરીશ, પાપમય વાણુ-વિચાર-વર્તાવ આચરીશ, તે કેવાં કર્મના થક ઉપાર્જાઈ કેવા દુખદ ભવાની રામાયણ સજાશે! એનો પાકે ભય-ફફડાટ-ચિંતા રહેવી જોઈએ. પછી એ પાપમય પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાનો ઉપાય આપમેળે યોજવાનું કરાય; બરાબર જાગતા રહીને સર્વ શકિતએ પાપથી આઘા રહેવાનું કરાય ભવ અને પાપને ગાઢ સંબંધ છે. પાપાચરણથી ભાવવૃદ્ધિ થાય છે. માનવજીવન એ મૂળ બેએ સેન્ટ્રલ સ્ટેશન જેવું છે. ત્યાંથી ઉપડેલો ગાડી દૂર દૂર પહોંચતી જાય છે, પાપનું એન્જિન
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy