SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ક્ષમા-સહિષ્ણુતા ગુણ વધવા પર : એમ પિતાનામાં સહિષ્ણુતા વધે, ક્ષમા-સમતા વધે, એના ઉપર પણ શુભ અધ્યવસાયની પ્રબળતા વધી શકે. તે એ રીતે કે પિતાને કંઈ વેઠવાનું આવ્યું, ત્યાં મન એટલું કાઠું અને બેપરવા કરી લેવાય કે આ સહવાનું કુછ વિસાતમાં ન લાગે. મનને એમ થાય કે “આમાં વળી સહવા જેવું છે જ શું ? શાનું કષ્ટ? મારે તે આમાં લીલાલહેર છે. ક્યાં નરકના ત્રાસ? કયાં આ ?” ચૌવિહાર ઉપવાસ-છઠ્ઠ–અઠ્ઠમ કર્યો, પણ તરસ જોરદાર લાગી ગઈ, ત્યાં મનમાં જરાય વિકાર ન થવા દે. વિચારે કે “આમાં શું છે? નરકના જીવ બિયારા આથી અનંતગુણી કેવી જાલિમ તૃષા સહે છે! આમાં ક્યાં મરી જઈએ છીએ? આ તો ખરેખરી તક મળી કે ઉપવાસધર્મ તે છે જ, પણું વધારામાં પરિસહધર્મ આરાધવાને મને ! અને જડ કાયાપુદ્ગલને કષ્ટ પડે એમાં મારા આત્માને શું ? કાયા તે પાડેલી છે, ભાડૂતી છે. કાયા તે સુખશીલતા ભેગવી આત્માના શત્રુની ગરજ સારનારી છે! એ તે કુટાવાને જ લાયક છે. મહાપુરુષોએ એને આથી પણ કઈ ગુણી કુટી છે. મારા મહાવીર પ્રભુએ એને છ- છ મહિનાના સળંગ વિહાર ઉપવાસમાં તગેડી છે! તે મારો ઉપવાસ કે છ અઠ્ઠમ શી વિસાતમાં છે? એમા તૃષાની શી તકલીફ કહેવાય ?' ચંદનબાળાએ જે અભિગ્રહ પૂર્યો તે મહાવીર ભગવાને શાસ્ત્રીય પિષ વદ એકમે એટલે કે ગુજરાતી માગશર
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy