SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૧. ઈન્દ્રિય ઠંડગાર બની ગયા પછી એને બાહ્ય ચામડાના રૂપ-સ્પર્શની ભૂખ જ નહિ રહે, ખણુજ જ નહિ રહે. શા સારૂ એ રોગ નેતરૂં ? શીલનું મહા આરોગ્ય જ ન. ભેગવું?” આવી ભાવના-વિચારણા અને એને અમલ વારંવાર કરી કરીને મનને શાન્ત, વિકસંપન્ન અને ગુણના વીર્યથી ભર્યું બનાવી દેવું જોઈએ. એ બન્યું, પછી શીલપાલનમાં શી મેટી વાત હતી? સહેલું, સરળ, મનગમતું. કુશીલમાં કેટલું ગુમાવવાનું – ભૂલતા નહિ કે કુશીલ એટલું ખતરનાક છે કે દિવસરાત એના વિચાર અને ચામડાના રૂપ-સ્પર્શના વિચાર ઊભરાવે છે. ત્યાં પછી સારી ભાવના મરી પરવારી! તત્વનું ચિંતન રીસાઈ ગયું ! ધર્મક્રિયામાં મન લાગવાનું અલેપ ! શા સારૂ એક આંખ કે ચામડીની ખણજ પાછળ આવે ભયંકર નુકશાન વહેરવા? યાદ રાખ્યા કરવું જોઈએ કે – જે મનમાં કુશીલ વસ્યું, ત્યાં પરમાત્મા ન વસી શકે. પરમાત્મા અનંત શીલભર્યા છે. એ કુશીલ મનમાં શું આવે? બસ, કુશીલથી બચવા આ કામ કરે - (૧) ઈન્દ્રિયોને ઠંડગાર શાંત અને અતિ ધરાયેલી કરી દે. હૈયાની તીવ્ર ઉત્કંઠાથી અને ઈષ્ટ તરીકેના વિચારથી આ બની શકશે. મન પછી ઘણું સ્વસ્થ બનશે. એ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy