SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪] [૨મી અની બસ કરતાં ધરણું પર ઢળી પડે છે ! કેમ મૂચ્છ? કેમ ઢળી પડવાનું? કેઈ ડર તે હતું નહિ, ને હવે તે ઉલટું સામે સુભટો નિશ્ચલ સ્થિર શિલા જેવા થંભી ગયા છે, પછી ડરવાનું ગભરાવાનું હોય જ શાનું? ત્યારે કોઈને એણે માર્યા નથી યા એના નિમિત્તે કઈને એમજ મરવાકરવાનું બન્યું નથી કે જેથી એને આ દયાભર્યા દિલને આઘાત લાગી ગયો હોય. તે પછી મૂચ્છનું શું કારણ? કારણ અદ્ભુત છે, કુમારને અવધિજ્ઞાન :– સુભટો નિશ્ચલ થઈ થંભી ગયા એ આ કુમારે પિતાના શીલને જાગતે પ્રભાવ જે, ત્રિકરણશુદ્ધ શીલની ખાતરી ય થઈ એના પર શુભ અધ્યવસાયની ધારા એવી વધતી ચાલી કે એથી એને અવધિજ્ઞાનાવરણ કર્મને કુરચા ઉડયા ! કર્મને પશમ થયે અને અવધિજ્ઞાન પ્રગટ થયું ! તે પણ ભવેના ભવ સાક્ષાત્ જોઈ શકે એવું ! એમાં એણે જે પિતાની દુઃખદ સ્થિતિ જોઈ અહીંની અને પૂર્વ ભવની આરાધનાની સામે પોતાની બહુ પૂર્વના ભવમાં જે જાલિમ દુર્દશા નિહાળી, એના પર એ એ -ચકી ઊઠે કે મગજ ઘુમ થઈ ગયું, ભાન ચાલ્યું ગયું, અને મૂચ્છિત થઈ ગયે ! બસ પડયે ધરતી પર ! - આપણે ખુશમિશાલ કેમ કરી શકીએ છીએ? પૂર્વની ભયંકર દુર્દશા, નરક–તિર્યંચ ગતિનાં કારમાં દુઃખત્રાસ-રિબામણ વગેરે નજર સામે નથી માટે. શાસ્ત્રવચનથી જે એ પ્રત્યક્ષવત નજરમાં આવ્યા કરે તે અહીંના બધાય તુચ્છ અસાર હર્ષકલેલ અને લાલચેન સુકાઈ જાય. મનને થાય કે એવા લાખ કરોડે ભમાં
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy