SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬] [કમી હે ગૌતમ? એ રાજકુમાર વિચારે છે કે જ્યારે દષ્ટિમાત્રથી કુશીલ બનેલ આત્માનું નામ લેવામાં આટલું મોટું તેફાન જોયું છે, તે પછી હવે અહી સમ્યફ શીલની પણ પરીક્ષા કરું.' આમ વિચાર કરીને હે ગૌતમ ! તે કુમાર બેલવા લાગ્યું કે, જે હું વચનથી પણ કુશીલ બને હોઉં, તે હું આ રાજધાનીમાંથી ક્ષેમકુશળ અણહણ ન નીકળું. પણ જે હું મન વચન-કાયાથી સર્વ પ્રકારે શીલસંપન્ન હાઉં, તે મારા પર આ અતિ તીક્ષણ અને પ્રાણઘાતક પણ ભયંકર શસ્ત્ર-સમૂહ ઘા ન કર.” બસ, આટલું બોલી રાજમહેલના દરવાજેથી “નમે અરિહંતાણું” કહેતેક બહાર નીકળે. . ઉપાય કેટલે સરસ શોધી કાઢયો? પણ એ મહાન ધમત્મા અને અટલ શ્રદ્ધા–સંપન્ન જ કરી શકે. કુમારને પોતાના શીલ પર શ્રદ્ધા કેટલી હશે ત્યારે આ સાહસ કરી શકે છે? એ શ્રદ્ધા પાછળ એણે શીલનું પાલન કેવું અત્યંત નિર્મળ કર્યું હશે? એ પાલન પણ મનથી વચનથી અને કાયાથી. તે જ આટલી શ્રદ્ધા ધરી શકે ને ? પાછું એમાં એ પણ તૈયારી છે કે કદાચ કયાંક કયારેક સ્કૂલના થઈ હોય તે ભલે શસ્ત્રના ઘા વડે મરી જવાનું થાય, વાંધો નથી. કુશીલથી જીવવા કરતાં મરવું સારૂં” એમ એને લાગે છે. કાયાથી કુશીલ નહિ એટલે? – અહીં જરા સમજવા જેવું છે કે કાયાથી લેશમાત્ર કુશીલ નહિ એટલે શું? એ જ કે પરસ્ત્રી-વિધવા–વેશ્યા કે કુમારિકા
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy