SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૩] [૨૭૯ ચીજ નથી તે એમ જ બૌદ્ધોનું અજ્ઞાન અનુકરણ અને રટણ કર્યા કરે? આજના કેઈક સાક્ષર મૈત્રી કરુણની વાત બૌદ્ધોમાંથી જેનોમાં આવી એમ કહે છે! કેમ જાણે જેને પહેલાં એ સમજતા જ નહતા ! પરંતુ એ સાક્ષરોને “મિત્તી મે સવભૂસુ” સમ્યક્ત્વનું ચોથું લક્ષણ અનુકંપા વગેરેની કયાં ખબર છે? બેઢીને આ મૈત્રીક-રુણની ગમજ ક્યાં છે? પાયામાં સ્વકૃત જીવહિંસાને પશ્ચાત્તાપ અને જીવો પ્રત્યે દયા જોઈશે એના પર જ સાચો મૈત્રીભાવ પ્રગટી શકશે. દુઃખીના દુઃખ જોઈ હૈયું પીગળે નહિ, એમાં ય બીજાને પોતે દીધેલા દુઃખ માટે સંતાપ-પશ્ચાત્તાપ થાય નહિ, ત્યાં હૃદય કઠેર છે, કમળ નહિ; અને કઈ પણ ગુણ પ્રગટવાની ભૂમિકારૂપ છે કોમળ હૃદય; એ કમળતાના અભાવે એ હૃદયમાં ગુણે શી રીતે વસી શકે? તેમ, વારંવાર દયાની ભાવના કર્યા વિના પ્રસંગે પ્રસંગે દયાની લાગણી શી રીતે પ્રગટે? આ સ્થિતિ ન હોવાના લીધે જ, પિતાને સ્વાર્થ ઘવાયે લાગતાં, કે પિતાના મન વિરુદ્ધ બન્યું દેખતાં, ઝટ બીજા પર દ્વેષ ઊભરાઈ આવે છે. દિવસમાં કેણ જાણે કેટલીય વાર આ ઠેષ થયા કરતા હશે ? ત્યાં દયાને કયાં જગા રહે ? માટે જે પાયાની દયાને ખપ હોય, તે વારંવાર પૂર્વે બતાવ્યા પ્રમાણે જીવાહિંસાને પશ્ચાત્તાપ અને દયાની ભાવના વારંવાર કરવી જોઈએ.
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy