SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ - [ મી ' લાગે તે ખરે, પણ એટલે નહિ. એનું કારણ, શ્રાવકજી પોતે એ આગાહી કહેવા સાથે જ કુટુંબને કહે છે - શ્રાવકનું અંતકાળ પર ભાષણઃ જન્મ એ મહાન ગુને – જુઓ, આ વસ્તુ પર જરાય દુઃખ લગાડતા નહિ. જમ્યા પછી મૃત્યુ થાય એ તે કુદરતી ઘટના છે. બજારમાં ગયા પછી સાંજ પડયે પાછું જવાનું હોય છે, એમાં રાજ કેણ દુઃખ કરવા બેસે છે કે આ પાછું કયાં જવાનું આવ્યું ? એ તે રોજની ઘટમાળ, બજારમાં ગયે રાખ્યું ને પાછા ફર્યો ગયા. એમ અહીં પણ અનંત અનંત કાળ વીત્યે, જનમ પામતા જ ગયા, અને મરતા ગયા. ત્યાં મરવાનો ખેદ છે? ખેદ થાય તે હજી જનમવાને થ જોઈએ કે “આ મારે કેમ જનમ લે પડ્યો કે જે એક મોટા ગુનારૂપ બની ઠેઠ મૃત્યુના દંડની સજા આપે છે! જનમવાને ખેદ હોય તે જેમ મરવાના ભયવાળા કેઈ જાતની દવાઓ ખાય છે, એમ જનમવાના ભયથી જનમ રેકાય એવી ઊંચી સત્ સાધનામાં જોડાઈ જવાય. બીજાનું મૃત્યુ જોતાં પિતાની મૃત્યુ દશા ચિંતા – પેલા શ્રાવક મૃત્યુની આગાહી થવાથી એને નિશ્ચિત જાણી કુટુંબને આગાહી કહેવા બાદ કહે છે “જુઓ તમે મારા મૃત્યુ પર શોક જરીકે કરતા નહિ; પોતાની મૃત્યુવશ દશા વિચાર, જેથી કાળ કેબિયે કરી જાય તે પહેલાં (i) શક્ય એટલે ધર્મ સાધી લેવા, (ii) રાગદ્વેષાદિ કષાયે ખરા મંદ કરી નાખવા, અને (i) ભાવી જનમના સારા જીવન માટે અહીં પાપ ઓછા કરી સારું સંસ્કરણ કરી લેવા નિરંતર ગરજ રખાય. મૃત્યુ પહેલાં જ શક્ય
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy