SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન વડે નમસ્કારને જે આકાર અંતરમાં પ્રતિ-ભાસિત થાય છે, તે સ્થાપના નમસ્કાર છે. કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે. શબ્દના ઉચ્ચારણરૂપ નમે એ નામ નમસ્કાર છે. ક્રિયારૂપ નમસ્કાર–એ દ્રવ્ય-નમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે. અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય–વાચ : સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપ્ય-સ્થાપક સંબંધ છે. એક સંબંધીનું જ્ઞાન, અપર સંબંધીનું સ્મારક બને છે, એ ન્યાયથી નામ અને સ્થાપના ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવ સ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે. નામ અને સ્થાપના કાર્યને ચિત્રની અંદર લાવે છે. ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાન પૂર્વક થયેલી ક્રિયા, - ભાવનું કારણ બને છે. ક્રિયા એ દ્રવ્ય છે, તેમાંથી ભાવ પેદા કરવા માટે, એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ. એવું ચોકકસ જ્ઞાન, નામ અને સ્થાપનાથી - થાય છે. નમસ્કાર એક પ્રકારની શરણાગતિ છે. નમસ્કાર એ - સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે, ભગવદ ભાવમાં આત્મ વિસર્જન છે. .૭૬ ] જૈન તત્ત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy