SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તેની ઇચ્છાઓ હંમેશાં અધુરી રહે છે, મળેલી સુખસામગ્રીને પણ મેળવી શકતા નથી, અને નિવર્ય અને નિઃસવ બની કેઈ શુભ પુરુષાર્થ પણ કરી શકતું નથી. સર્વત્ર ભયભીત અને સદા ચિંતાતુર રહે છે. તત્ત્વથી તે એક ક્ષણ પણ અન્યાયને પક્ષ કરનાર જે-જે અશુભ કર્મોને બાંધે છે અને તેના ઉદયે જે જે વિવિધ કષ્ટો ભેગવે છે, તેનું યથાર્થ વર્ણન કરી શકાય તેમ છે જ નહિ. જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં કરેલું વિવિધ કર્મોનું અને તેના વિપાકનું વિસ્તૃત વર્ણન પણ એક સૂચન માત્ર છે. ટૂંકમાં એમ કહી શકાય કે જગતના છે દશ્યમાન કે અદશ્ય જે-જે દુઓને ભેગવે છે, તે સર્વ એક અન્યાય વૃત્તિને પક્ષ કરવાનું પરિણામ છે. એમ અન્ય વ્યવૃત્તિથી મેળવેલા ભેગે અન્યાય વૃત્તિનો પક્ષ કરાવી તેના ફળરૂપે જીવને ઉપર કહ્યાં તેવા દુઃખદ પરિણામ સજે છે. ન્યાયવૃત્તિ અને ન્યાયસંપન્ન વૈભવની એ કારણે આવશ્યકતા છે, કે ન્યાયવૃત્તિ-એ તત્ત્વથી આત્મીય વૃત્તિ છે, સ્મભાવ રમણતા છે. તેથી તેને પક્ષ કરનારને બંધાતાં સર્વે કર્મો શુભ બંધાય છે. પૂર્વે બાંધેલા પાપ કર્મો પૈકી જ્ઞાનાવરણીય આદિ ઘાતી કર્મો તૂટે છે, ક્ષય અને પશમાદિ ભાવને પામે છે અને અશાતા વેદનીય આદિ અઘાતી કર્મો પણ શાતા વેદનીયાદિરૂપે પલટાઈને દુખદને બદલે સુખદ બને છે. - ટુંકમાં એમ કહી શકાય કે ત્રણે લોકમાં ત્રણે કાળમાં ૨૬૨ ] જેને તરત રહય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy