SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ નિરંતર ઈચ્છી રહ્યા છે. જેઓને વીતરાગમાં દેવાધિદેવ.. પણાને, નિગ્રંથમાં ગુરૂપણને અને આગામોમાં સર્વ નિરૂપિતપણને વિશ્વાસ છે તથા ધર્મમાં જીવદયા અને જીવની જયણા એજ મુખ્ય છે એવી નેસગિક શ્રદ્ધા છે, તેવા છે આ ક્રિયાના અધિકારી નથી, એમ તે કઈ અજ્ઞાની, દુરાગ્રહી કે પુદ્ગલાનંદી જ કહી શકે. ઉપર વર્ણવ્યા તેના કરતાં વધારે સારા સંસ્કારવાળા બીજા કયા મનુષ્ય છે કે જેઓ આ કિયાના ખરા અધિકારી છે અને બીજા નહિ ? - જે નથી, તે પછી આવી ઉચ્ચ સંસ્કારવાળા ઘરમાં નિરંતર સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા, વ્રતનિયમ, દાન શીલ અને ત૫ જપાદિ ક્રિયાઓ સતત થતી. રહે તેમાં બેટું શું છે? આ તે ઢાલની એક બાજુ થઈ. તેની બીજી બાજુ પણ છે. અને તે આ ક્રિયાઓ કરનારા કેટલાઓમાં દેખાતી જડતા, અવિચારીતા, સ્વાર્થ લોલુપતા બહાર: આવવાની કે લેકમાં સારા દેખાવાની મનવૃત્તિ ઈત્યાદિ દુર્ગુણરૂપે દેખા દે છે પણ તે (અનેક પ્રકારની નબળાઈ એને વશ જીમાં) અનિવાર્ય છે. અથવા જ્ઞાન પ્રકાશથી તેને હટાવી શકાય છે. એક તે સામાન્ય રીતે ધર્મક્રિયા કરનારા, સમગ્ર સમાજની દષ્ટિએ અલ્પ સંખ્યામાં હોય છે. માત્ર પર્યું જન તત્વ રહસ્ય [ ૨૧૯
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy