SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાઓને અભ્યાસ કરવાની શાસ્ત્રકાર ભગવંતે મુમુશુઓને ભલામણ કરે છે. | મુખ્યત્વે જડના આકર્ષણને ઘટાડવા અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ અને પિતા સિવાયના જીવ જગત પ્રત્યેની ઉદાસીનતા તથા તેને પરિણામે જન્મતા અને નભતા ચિત્તના દેને ટાળવા માટે મિથ્યાદિ ચાર ભાવનાઓ ઉપયોગી મનાઈ છે. આ ભાવનાઓ વડે અંતઃકરણને સદા ભાવિત કરતા રહેવાથી સમસ્ત જીવરાશિ પ્રત્યેને સ્નેહ-પરિણામ સ્થિર થાય છે, ચિત્તના મળ દૂર થાય છે અને તેથી તેમાં ઉઠતા વૃત્તિઓના તરંગે પણ શાન્ત થઈ જાય છે. મને જયને અભ્યાસ કરીને યોગ સાધનાની ઉચ્ચ ભૂમિકાને વરેલા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજે, પોતાના જાત અનુભવથી મૈત્રી, પ્રમાદ, કરૂણું અને માધ્યસ્થ ભાવનાઓને ધર્મ ધ્યાનના રસાયણ તરીકે વર્ણવી છે. તેમજ બિરદાવી છે. અનિત્યાદિ ભાવનાઓની અનુપ્રેક્ષાએ પણ વિશુદ્ધ તે જ બને, જે તે મૈત્ર્યાદિ ભાવનાઓથી ઉપભ્રંહિત હેય. આ વ્યાદિ ચાર ભાવનાઓમાં લીન મુનિ, અધ્યાત્મના નિશ્ચયવાળ બને છે. અને જગતને તેના અસલ સ્વરૂપમાં પિછાણી વિષયોમાં અટવાત નથી. આ ભાવનાઓને સારી રીતે પ્રયોગ કરતાં, તે મુનિની મહ નિદ્રા ઉડી જાય છે અને તેને તત્ત્વ નિશ્ચય ૧૭૪] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy