SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જે પેાતાના પરિચિતાની હિતચિંતા કરતા નથી, તે સ્વાથી કહેવાય છે. જે દુનિયાના કોઈપણ જીવની હિતચિ'તા કરતા નથી, તે એકલપેટા ગણાય છે. ખીજાએની હિતચિ’તારૂપ મૈત્રીભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે. તેનામાં કૃતઘ્નપણું', કૃપણપણું, સ્વાથી પશુ અને એકલપેટાપણુ· વગેરે દુર્ગુણ્ણાનેાના નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પરાપકારિતા તથા પરમાર્થવૃત્તિતા આદિ સદ્ગુણા પ્રગટે છે. જીવ અનાદિ કાળથી જડના રાગ અને ચેતનના દ્વેષને વશ છે. પેાતાની જાત ઉપર તેને એટલું બધુ મમત્વ હાય છે, કે પેાતાની જાતના સુખની ખાતર કાઈ પણ પ્રકારનાં પાપ કરતાં તે અચકાતા નથી. મૈત્રીભાવ, તેને પેાતાની જાત ઉપરના મમત્વને ખસેડી પરના સુખ માટે પણ ચિંતા કરનારા બનાવે છે. મૈત્રી ભાવ આવ્યા પહેલાં પેાતાની જાતનુ જ એક મમત્વ તેના અંતરમાં હૈાવાથી દુનિયાના સઘળાં સુખ તેને પેાતાને જ મળેા, એવી અનંત તૃષ્ણા તેનામાં છૂપી રીતે રહેલી હાય છે. પણ દુનિયાનાં બધાં જ સુખેા એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હાતી નથી. તેથી મૈત્રીભાવ વિનાના આત્મા હંમેશાં અત્યંત અતૃપ્ત. અને શાકગ્રસ્ત જ રહે છે, જે સુખ પેાતાને જોઈએ છે, ૧૬૦ ] જૈન તત્ત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy