SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ કરવા માટે તેને ચાર આંગળ પાણીથી તરતું કરવામાં આવતું નથી. અને ધાન્ય સાથે પાકું મીઠું, (સિંધવ) મરી, સુંઠ ભેળવેલા કઠોળ આદિ લેવાની છૂટ છે. જઘન્ય આયંબિલને અભ્યાસ વધતાં મધ્યમ અને ઉત્કૃષ્ટ આયંબિલ સુધી પહોંચી શકાય છે. કારણ કે તપને અભ્યાસ પણ જ્ઞાનાભ્યાસની જેમ ક્ષાપથમિક ભાવ યુક્ત હોવાથી અભ્યાસથી વૃદ્ધિ પામવાના સ્વભાવ વાળો છે. એથી જ પ્રારંભમાં એક ઉપવાસ કે એક આયંબિલ કરી શકનાર, અભ્યાસ વધતાં મા ખમણ કે લાગલગાટ સેંકડો આયંબિલને તપ સહેલાઈથી કરી શકે છે. પ્રાણુ પિષક અન્ન કે રસ? અહીં એટલું યાદ રાખવાનું છે કે પ્રાણને સંબંધ અન્નની સાથે છે. પણ રસની સાથે નહિ. એકલા અન્નથી. જીવી શકાય છે. પણ એકલા રસથી નહિ. માંસાહારી પ્રજાને પણ ધાન્યની પૂરતી જરૂર પડે છે. માંસમાં ભલે રસ છે, પણ પ્રાણ પોષક તત્ત્વ છે. ધાન્યમાં છે. એજ રીતે દૂધ, દહીં, ઘી, ગોળ કે તેલમાં રસ ભલે હે, પણ ધાન્ય વિના કેવળ તે રસનું ભેજન ઔદારિક શરીરને ટકાવનાર નહિ. પણ ક્ષીણ કરનાર નીવડે છે. તેમજ વધુ પડતાં મરચાં, મસાલા, ચટણી અથાણું વગેરે લેનારાઓ આંખના, મસાનાં, સાંધાના અનેક રોગથી પીડાતા હોય છે. ૧૩૨ ] જૈન તત્વ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy