SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જે વાણુ મનમાંથી નીકળે છે અને જેને મન સાંભળી શકે છે, તેને પશ્યન્તી વાણી કહે છે. જે વાણી આકાંક્ષા, ઇચ્છા, નિશ્ચય, શાપ, વરદાન આદિ રૂપે અંતઃકરણમાંથી નીકળે છે, તેને સંક૯૫ અથવા પર વાણું કહેવાય છે. મતલબ કે વાણીના સંકલ્પ, વિચાર, ભાવ અને ઉચ્ચાર એમ ચાર પ્રકાર છે. દુર્ભેદ્ય વજી દિવાલને પણ ભેદીને આગળ વધવાની સર્વત્ર વિસ્તરવાની અમાપ શક્તિ શબ્દમાં રહેલી છે. એટલે જે કેઈ એમ માનતું હોય કે મૌનપણે થતો જાપ દુનિયાને કઈ રીતે લાભદાયી નીવડે? તે તે માન્યતા બરાબર નથી. ખરી તાકાત જ માનસ જાપમાં છે, એનાથી ઓછી ઉપાંશુમાં અને એનાથી ઓછી ભાષ્યમાં. વૈખરી વાણી કરતાં શતગુણ અધિક અસર મધ્યમાં વાણી કરે છે. મધ્યમા કરતાં શતગુણી અધિક અસર પશ્યન્તી વાણી કરે છે. અને પશ્યન્તી કરતાં શતગુણ અધિક અસર પરા વાણું કરે છે. માટે જ પ્રગટ કાર્ય કરતાં અપ્રગટ કાર્યનું આ સંસારમાં અનાદિ કાળથી વિશેષ મહત્ત્વ છે. અપ્રગટ એટલે કે છૂપું પાપ કાર્ય જેમ ઘણું અંતરાય જન્માવે છે, તેમ છૂપું પુણ્યકાર્ય પણ સંસારી જીવને ઘણું સાસુ પર અંતરાય કુળતાએ ઉચકાય પણ જૈન તવ રહસ્ય
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy