SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા તમામ કુતર્કોની શાસ્ત્ર અને પરંપરા દ્વારા વિસ્તૃત સમાલોચના આગળ કરવામાં આવશે. + આથી ફલિત થાય છે કે - બોલીથી આદેશો આપવા એ શાસ્ત્રીય છે. - - બોલી-ઉછામણી દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ શાસ્ત્રવિહિત માર્ગ છે. ઝબોલીની શરૂઆત સંઘમાં કુસંપ નિવારવા કે જિનાલયના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે થઈ નથી, પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરવામાં આવી છે અને એ દેવદ્રવ્યનો સદુપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર આદિમાં કરવાનું શાસ્ત્રાનુસારી પરંપરા જણાવે છે. વળી, આ વિષયમાં થયેલા પૂ. આચાર્ય ભગવંતો આદિના પત્રવ્યવહારો જોવાથી એ વાત સ્પષ્ટ બને છે. એ પત્રવ્યવહારો પૂ.આ.ભ.શ્રી વિ. કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” નામની પુસ્તિકામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક પત્રોનું અહીં પરિશિષ્ટ-૨માં સંકલન કરવામાં આવ્યું છે. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જઃ – વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલને શ્રાવકોને પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કરવાનું જણાવ્યું છે. ત્યાં “જ” કાર મૂકીને “સ્વદ્રવ્યથી જ જિનપૂજાના માર્ગ ઉપર ભાર મૂક્યો છે અને દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો નિષેધ કર્યો છે તથા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં જણાવેલી જિનપૂજાની વિધિનો માર્ગ જ સ્પષ્ટ કર્યો છે. એ ઠરાવમાં માત્ર સામગ્રીનો અભાવ હોય તેવા અશક્ત સ્થળોએ જ ભગવાન અપૂજન રહે તે માટે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું છે. તેમાં ભગવાન અપૂજ ન રહેવા જોઈએ એ અગત્યની શાસ્ત્રસિદ્ધ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શક્તિ-સામગ્રીના અભાવમાં એવી સ્થિતિનું નિર્માણ
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy