SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૧: શુદ્ધ દેવદ્રવ્યની વ્યાખ્યા સદુપયોગ અને શ્રમણ-સંમેલનના ઠરાવો ૫ જ તે દ્રવ્યને જિનાજ્ઞાપાલકોથી તો અન્ય ખાતામાં લઈ જવાય જ નહીં. (૮) બોલીઓ કુસંપ નિવારવા માટે કલ્પેલી નથી પણ શાસ્ત્રોક્ત છે. (B) વિ.સં. ૧૯૯૦ના શ્રમણસંમેલનમાં દેવદ્રવ્ય અંગે થયેલા ઠરાવોઃ– દેવદ્રવ્યઃ - (ઠરાવ-૨) (૧) દેવદ્રવ્ય જિનચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈપણ ક્ષેત્રમાં ન વપરાય. (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. (૩) ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ જોઈએ. (૫) તીર્થ અને મંદિરોના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલ્કત રાખી બાકીની મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ, એમ મુનિસંમેલન ભલામણ કરે છે. (C) વિ.સં. ૨૦૧૪ના શ્રમણ સંમેલનના દેવદ્રવ્ય અંગેના ઠરાવોઃ (વિ.સં. ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રીરાજનગર (અમદાવાદ) રહેલા શ્રીશ્રમણ સંઘે ડેલાના ઉપાશ્રયે ભેગા થઈ સાત ક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્રો અને પરંપરાના આધારે દિગ્દર્શન
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy