________________
૪૩૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા सर्वधनादि-परिग्रहः देवादि-सत्कतया सुविहितैः व्यवहियते संसृष्टत्वात् ।
– અહીં પરમાર્થ એ છે કે, ધર્મશાસ્ત્ર કે લોક વ્યવહારથી પણ જ્યાં સુધી દેવાદિનું દેવું જે શ્રાવકાદિના પરિવાર ઉપર હોય છે, ત્યાં સુધી તે શ્રાવકોદિનું બધું જ ધન-પરિગ્રહ-સંપત્તિ દેવદ્રવ્યાદિથી મિશ્રિત જ કહેવાય છે. તેથી તેના ઘરમાં ભોજન કરવાથી ઉપર જણાવેલા દોષ લાગે છે.
मूलं विना जिणाणं उवगरणं, चमर छत्तं कलशाइ। जो वापरेड् मूढो, निअकज्जे, सो हवइ दुहिओ ॥
- જે જિનેશ્વર ભગવાનના ઉપકરણ, ચામર, છત્ર, કળશ વગેરેને ભાડું (નકરો) આપ્યા વિના પોતાના કામમાં લે છે, તે મૂઢ જીવ દુઃખી થાય છે.
देवद्रव्येण यत्सौख्यं, परदारतः यत्सौख्यम् । अनन्तानन्तदुःखाय, तत् सुखं जायते ध्रुवम् ॥
- દેવદ્રવ્યના ભક્ષણથી જે સુખ અને પરસ્ત્રીના ભોગથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખ અનંતાનંત દુઃખ આપનારું થાય છે.