________________
પરિશિષ્ટ-૩
૩૫૭ રહેલા છે. સંમેલનમાં મુખ્ય ભાગ ભજવનાર પં. શ્રી ચંદ્રશેખર વિ. એ જ નીચેનો પત્ર આઠ મહિના પહેલા લખેલો છે. સંમેલનના ઠરાવોની શાસ્ત્રીયતાનું આહવાન કરનાર પં. શ્રી નીચેના તેમના જ પત્ર સામે આહ્વાન આપે અને પં. શ્રી યોગ્ય ખુલાસો વહેલી તકે કરે. જો કે, હાલ તેઓ વિદ્યમાન નથી. આથી તેઓના પુસ્તકોનો પ્રચાર કરનાર તેમનો સમુદાય વહેલી તકે ખુલાસો કરે એવી અભિલાષા.) પં. ચન્દ્રશેખર વિ. તરફથી
વિ.સં. ૨૦૪૩ વિનયાદિ ગુણાલંકૃત મુનિવર્ય
ભા.વ. ૧ હિતપ્રજ્ઞ વિજય મ.સા., અનુવંદના. સુખસાતામાં હશો.
વિ. જણાવવાનું કે ગુરુપૂજનના પૈસા દેવદ્રવ્યમાં જ લઈ જવા એવી પરંપરા છે. માટે દેવદ્રવ્યમાં જ લઈ જવા જોઈએ.
તથા જો તે પૈસા મુનિઓની વૈયાવચ્ચમાં લેવામાં આવે તો મુનિઓને તે પૈસા ઉપર પોતાના પૈસા છે એ રીતે આસક્તિ થવાની શક્યતા છે માટે આ પરંપરા અત્યંત યથાયોગ્ય જણાય છે તે જાણશો.
એજ દ. જિનસુંદર વિ.
ચંદ્રશેખર વિ.ના
આ અનુવંદના ટિપ્પણીઃ (૧) આ પત્રની મૂળ કોપી હાલ પણ ઉપલબ્ધ છે.
(૨) આ પત્રવિ. ૨૦૪૩, ભા. વદ-૧ના રોજ શાન્તાક્રુઝ-મુંબઈથી વલસાડ મુકામે બિરાજમાન પૂ.મુનિશ્રી (હાલ પૂ. આચાર્યશ્રી)ને લખાયેલો છે અને નીચે ધાર્મિક વહીવટ વિચાર'ના લેખકશ્રીની સહી પણ છે.
(૩) વિ.સં. ૨૦૪૪'ના સંમેલનના થોડા મહિનાઓ પહેલાં લેખકશ્રીની માન્યતા શું હતી ! અને સંમેલનમાં અને એ પછી કેમ માન્યતા બદલાઈ ગઈ !
(અગત્યની નોંધઃ મતિમંદતા કે ક્ષયોપશમભેદથી શાસ્ત્રોના અર્થઘટનમાં પ્રામાણિક મતભેદ ઊભો થાય તે હજી બની શકે પણ વર્તમાન વિવાદમાં સહુથી