________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૨૮૯ (પ) જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણના કાર્યમાં વેતનથી વ્યવસ્થાપક
તરીકે રાખેલા જૈન શ્રાવકને દેવદ્રવ્યમાંથી પૈસા આપી શકાય
નહીં. (૬) જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણના કાર્યમાં માર્બલ-પત્થર આદિ
કોઈપણ ચીજની ખરીદી માટે દેવદ્રવ્યમાંથી જૈન વ્યક્તિને પૈસા આપી શકાય નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, કોઈક કારણસર જૈન પાસેથી દેરાસર સંબંધી કોઈપણ પ્રકારની સામગ્રી લેવી પડે તો જૈન જરા પણ નફો લે નહીં. કદાચ જૈન નફો માગે તો માલ લેનાર સર્વસાધારણ ખાતામાંથી આપે. જેથી જૈન દેવદ્રવ્યના ભક્ષણનો દોષિત બને નહીં. દેરાસરના પૂજારી કે અન્ય કામો કરવા રાખેલા માણસો પાસે
ટ્રસ્ટીઓ કે અન્ય શ્રાવકોએ પોતાનું કાર્ય કરાવાય નહીં. (૮) સેનપ્રશ્ન અને દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં કહ્યું છે કે, શ્રાવકોએ દેવદ્રવ્ય
વ્યાજે રાખવું યોગ્ય નથી. કારણ કે, નિઃશૂકપણું થઈ જાય, માટે વ્યાપાર વગેરેમાં વ્યાજે રાખી વાપરવું નહીં. જો અલ્પ પણ દેવદ્રવ્યનો ભોગ થઈ જાય તો સંકાશ શ્રાવકની પેઠે ભવિષ્યકાળમાં અત્યંત દુષ્ટવિપાકો પામે છે. બેંકમાં મૂકેલી દેવદ્રવ્યની ફીક્સ ડીપોઝીટની ક્રેડીટ ઉપર શ્રાવક (ટ્રસ્ટી) પોતાના વ્યાપારાદિના કાર્ય માટે લોન લે તો તે ભયંકર દોષરૂપ છે. દેવદ્રવ્યના દુરુપયોગનું મોટું પાપ લાગે છે. તેથી
ટ્રસ્ટીઓએ તે સંબંધી બરાબર કાળજી રાખવી. (૧૦) જિનપ્રતિમા અને જિનમંદિર : આ બંને ક્ષેત્રોનું દ્રવ્ય “દેવદ્રવ્ય
હોવાથી નીચેના કોઈપણ ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ જ ન શકે. (૧૧) ગૃહમંદિર ઃ ગૃહજિનમંદિરના ભંડારની આવક અને ત્યાં પ્રભુ
સમક્ષ ધરાવાતાં અક્ષત-ફળ-નૈવેદ્યને વેચવાથી પ્રાપ્ત થયેલી રકમ