________________
૨૫૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઉપયોગ પૂજા સંબંધે કરીને ગૌરવ યોગ્ય ઊંચા સ્થાનમાં કરવો. પરંતુ, જિનેશ્વરની અંગ પૂજામાં ન કરવો.
>સ્પષ્ટીકરણ:
અહીં ગૌરવા સ્થાન એટલે ગુરુની અપેક્ષાએ ગૌરવા સ્થાન અર્થાત ગુરુ કરતાં ઊંચા એવાદેવનું સ્થાન, એવો અર્થ કરવાનો છે. એટલે ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ ગુરુ કરતાં ઊંચા એવા દેવના સ્થાનમાં કરવાનો છે. અર્થાત્ જિનમંદિરના નિર્માણ અને જીર્ણોદ્ધારમાં કરવાનો છે, એમ શાસ્ત્રકારશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે.
એટલે “ગૌરવાહ સ્થાન તરીકે જિનમંદિર જ લઈ શકાય. પરંતુ સાધુ-સાધ્વી ન લઈ શકાય.
તદુપરાંત, બહુમાન ભંગ થવાનો સંભવ હોવાથી ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ જિનેશ્વર ભગવંતની અંગપૂજામાં કરવાની ના પાડી છે.
(F) “ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકના પૃ. ૧૧૯ ઉપર ગૌરવાઈ સ્થાનના સ્વરૂપને નક્કી કરતાં જે કુતર્કો થયા છે, તે નીચે મુજબ છે –
“આ ગુરુદ્રવ્યનો ઉપયોગ ગૌરવવંતા સ્થાનોમાં વાપરવાનું દ્રવ્યસપ્તતિકામાં જણાવ્યું છે. આથી નક્કી થયું કે ગૌરવયોગ્ય સ્થાનો સાધુ-સાધ્વી છે. તેમજ તેની ઉપરના દેવ અને જ્ઞાન છે. આ બધે ઠેકાણે તે વાપરી શકાય. વળી દ્રવ્યસપ્તતિકામાં એમ કહ્યું છે કે, આ ગુરદ્રવ્યને જીર્ણોદ્ધાર, નૂતન જિનાલય વગેરે સ્થળે વાપરવું. અહીં વગેરે શબ્દથી જો કે પ્રતિમાને લેપકરણ, આભૂષણ વગેરે લઈ શકાય પરંતુ જિનની અંગપૂજામાં નહિ વાપરવાનો ત્યાં જ સ્પષ્ટ આદેશ આપેલ હોવાથી હવે લેપ આદિને વગેરે શબ્દથી નહિ લઈ શકાય. એટલે હવે વગેરે શબ્દથી સાધુ-વૈયાવચ્ચ જ લેવું પડે. આમ થાય તો શ્રાદ્ધજીતકલ્પના પાઠનો પણ સત્કાર થયો કહેવાય.”
– સમાલોચના:- પૂર્વોક્ત વિધાનોમાં “ગૌરવા સ્થાન માટે જે લાંબી વિચારણા કરી છે, તેમાં પુછવાનું છે કે, દ્રવ્યસપ્તતિકાકારશ્રીને ગૌરવાહસ્થાન' કોની અપેક્ષા ગ્રહણ કરવું ઈષ્ટ છે?