________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૦૯ પરમાત્માની પૂજાદિ કેમ ન થઈ શકે? તેમાં પાપબંધ શી રીતે કહેવાય?”
સમાલોચના:- (૧) આમ તો ઉપરોક્ત વાતોની સમાલોચના પૂર્વે કુતર્ક-૧ની સમાલોચનામાં થઈ જ ગયેલી છે. કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં ભેળસેળ કરી હોવાથી એ આખા પુસ્તકમાં ભેળસેળ રહેવાની જ. (૨) અહીં ખાસ યાદ કરાવવું જરૂરી છે કે,
) શુદ્ધદેવદ્રવ્યમાંથી શ્રાવક જિનપૂજા કરી શકે તેમ ઉપદેશ આપનાર સૂત્ર બોલે છે અને શ્રાવક શુદ્ધદેવદ્રવ્યમાંથી જિનપૂજા કરે તો તેને દેવદ્રવ્ય દુરુપયોગ-ભક્ષણનું પાપ લાગે જ છે.
(i) ઉછામણીના દ્રવ્યના પ્રક્ષેપવાળું દેવદ્રવ્ય શુદ્ધદેવદ્રવ્ય છે પરંતુ કલ્પિત દેવદ્રવ્ય નથી. તેથી તેવા પ્રકારના કલ્પિત દેવદ્રવ્યથી શ્રાવક પૂજા કરે તો તેને પાપબંધ થાય છે.
(ii) ઉછામણીના દ્રવ્યના પ્રક્ષેપ વિનાના શાસ્ત્રીય કલ્પિત દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરી શકાય છે. બાકીની વિગતોની સમાલોચના પૂર્વના પ્રકરણમાં કરી જ છે. | (૩) B-વિભાગમાં જણાવેલી વાત પણ નર્યો કુતર્ક જ છે. પ્રભુભક્તિને મુક્તિની દૂતિ કહી છે. પ્રભુભક્તિનું શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ આલંબન જિનપ્રતિમા છે અને જિનપ્રતિમાને બિરાજમાન કરવાનું સ્થાન જિનમંદિર છે. જિનમંદિરનું નિર્માણ શાસ્ત્ર અને પરંપરા અનુસાર દેવદ્રવ્યમાંથી થઈ શકે છે. જિનભક્તિ માટે જિનમંદિરમાં જનારો ભક્ત જિનમંદિરને વાપરે છે – ભોગવે છે, એમ ક્યારેય કહેવાતું નથી. એ તો પ્રભુની ભક્તિ કરવા જાય છે. રાજાના મહેલમાં જનારો રાજમહેલમાં પ્રવેશવાની ફી આપતો નથી. પરંતુ રાજાને જે ભેટશું ધરે એ પોતાના દ્રવ્યથી જ કરે છે પરંતુ રાજાના દ્રવ્યથી નહીં અને મહેમાન થયેલો વ્યક્તિ યજમાનના મકાનના નાણાં આપતો નથી. પરંતુ જે કંઈ ચાંદલો કરે તે પોતાના દ્રવ્યથી કરે છે, યજમાનના પૈસાથી નહીં. એમ સુખી માણસો દહેરાસરે જાય, તેના પૈસા