SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા તેમની માન્યતા કોઈપણ પ્રકારે સિદ્ધ થાય તેમ નહોતી અને લોકો સ્વીકારે તેમ નહોતા. તેથી તેની વ્યાખ્યા બદલવાની શાસ્ત્રદ્રોહીનીતિ અપનાવીને શાસ્ત્રવિરુદ્ધ માન્યતાને શાસ્રસાપેક્ષ હોવાનો પ્રચાર કર્યો - દેખાવ કર્યો. ભરપૂર ઉત્સૂત્ર પ્રરૂપણા કરી. આ કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં થયેલા ગોટાળાનો આંશિક ઇતિહાસ છે. જૈનશાસનના ઇતિહાસની આ મોટામાં મોટી ગરબડ છે. જોકે, એ પક્ષની તનતોડ મહેનત હોવા છતાં તેમાં એમને સફળતા મળી નહીં અને શ્રીસંઘોએ એમની વાત સ્વીકારવાની ધરાર ના પાડી. આથી તેઓ થોડો સમય શાંત રહીને પુનઃ સક્રિય બન્યા છે. ફરીથી ‘મુક્તિદૂત માસિક’ આદિમાં પોતાની વાતોને પ્રચારવાની ચાલુ કરી છે. જો કે, હવે છેલ્લે છેલ્લે તેઓ ત્રણ પ્રકારના દેવદ્રવ્યની વ્યાખ્યા ક્યાંયે લખતા નથી. પરંતુ તે ત્રણે પ્રકારના દેવદ્રવ્યની આવક-જાવકના જે ચાર્ટ મૂકે છે, તેમાં પોતાની ખોટી માન્યતાને જ અનુસરે છે. આ વિષયનો વિશેષ ખુલાસો આગળ કરીશું. આ તેની પાર્શ્વ-ભૂમિકા છે. હવે કલ્પિતદેવદ્રવ્યનું સ્વરૂપ જોઈશું. કલ્પિત દેવદ્રવ્ય :- સંબોધ પ્રકરણમાં તેનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવ્યું છે . - रिद्धिजुयसम्मएहिं, सड्डेहिं अहवा अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं, जं चरियं सव्वमुवओगि ॥ १६९॥ →>> અર્થમીમાંસા : નોંધ : આ ગાથાનો અમે અર્થ કરતા નથી. પરંતુ જુદા-જુદા પુસ્તકો આદિમાં જે રીતે અર્થ થયો છે, તેને મૂકીએ છીએ. (ગાથા ફરીથી મૂક્યા વિના અર્થ જ જણાવીશું.) (A) (સંબોધ પ્રકરણ, અનુવાદક-પૂ.આ.શ્રીવિજયમેરૂપ્રભસૂરિજી મ.સા., પ્રકાશક : શ્રીલુણસાવાડા,મોટીપોળ-જૈનસંઘ, પ્રકાશન વર્ષ,
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy