SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશનની શુભપળે છેલ્લા કેટલાક વર્ષોથી દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગે શાસ્ત્ર અને પરંપરાથી વિરુદ્ધ કેટલીયે - માન્યતાઓ વહેતી થઈ હતી. શ્રીસંઘના પરમપુણ્યોદયે શ્રીસંઘો શાસ્ત્રાનુસારી પરંપરાને અખંડ રાખીને જોરશોરથી ચાલતા અપપ્રચારોથી દૂર-સુદૂર રહેવા પ્રયત્નશીલ હતા. પરંતુ એક ચોક્કસ વર્ગોસ્વકલ્પિત માન્યતાઓને શ્રીસંઘોમાં પ્રસારવાની હઠ પકડી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એમના અપપ્રચારનો વેગ વધી ગયો છે અને તેના યોગે શ્રીસંઘ દેવદ્રવ્યના ભક્ષણ કે વિનાશના મહાપાપનો ભાગી બની મહાઅનર્થનો ભાજન બની જાય એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહ્યાના એંધાણ વર્તી રહ્યા છે. તેથી પૂર્વે અનેકવાર સત્ય પ્રકાશિત થઈ ગયેલ હોવા છતાં શ્રીસંઘને સમગ્રપણે સત્યથી વાકેફ કરવા માટે શાસ્ત્રની આજ્ઞા, સુવિહિત પરંપરા અને પૂ.વડીલોના અભિપ્રાયોને એકત્ર કરીને અહીં આપવામાં આવેલ છે. અમને વિવાદમાં કોઈ રસ નથી. કોઈનું અહિત કરવાનું અમારા સંસ્કારમાં નથી અને કોઈને ખુલ્લા પાડવાની અમારી વૃત્તિ નથી. પરંતુ ગોબેલ્સ અપપ્રચાર અને દેવદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્યોની વ્યવસ્થા ઉપર આવેલા સંકટને કારણે ન છૂટકે આ પુસ્તક પ્રકાશિત કરવું પડ્યું છે. બાકીની વિગતો ઉપોદ્દાત પ્રકરણમાં આપેલ છે. - પરમોપકારી પૂ.ગુરુદેવ અને પૂ.ગુરુજીની મહતી કૃપા મારા દરેક કાર્યમાં નિરંતરપ્રવર્તે છે. - સ્વર્ગસ્થ પૂજ્યપાદ ગચ્છનાયકશ્રીજીઓની દિવ્યકૃપાથી ગહન એવું આ કાર્ય નિર્વિને સંપન્ન થયું છે. - વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ.શ્રી.વિ.પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના મંગલ આજ્ઞા-આશીવાદ પ્રસ્તુત કાર્યમાં પ્રાણ પૂરવાનું કામ કરેલ છે. તેઓશ્રીનો આ મારા ઉપર મહાન ઉપકાર છે. જિનાજ્ઞા પ્રભાવક પૂ.આ.ભ.શ્રી.વિ. જયદર્શનસૂરીશ્વરજી મહારાજાએ આ પુસ્તકનું સંશોધન કરી આપી અને પુસ્તક માટે પ્રસ્તાવના લખી આપીને
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy