________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૭૯ અભિગ્રહ લે છે અને એનો બરાબર નિર્વાહ કરે છે. આ રીતે તેના દોષની શુદ્ધિ થાય છે.)
– આ રીતે સંકાશ શ્રાવકનો પ્રસંગ જોયો. હવે ઉપદેશપદ અને મૂલશુદ્ધિ પ્રકરણમાં જે તત્સંબંધી અધિકાર વર્ણવ્યો છે, તે જોઈશું.
J) ઉપદેશપદઃ
ततोऽस्य ग्रासाच्छादनमात्रं प्रतीतरूपमेव मुक्त्वा यत्किचित् मम व्यवहरतः सम्पत्स्यते तत्सर्वं चैत्यद्रव्यं ज्ञेयमिति इत्यभिग्रहो વાવર્ષાવમમૂહિતિ ૪૦થા ઘા (પૃ. ૨૨૮)
અર્થ: તેથી, ભોજન અને વસ્ત્રની આવશ્યક્તાથી અધિક મને જે કાંઈ વ્યાપારમાં પ્રાપ્ત થાય તે બધું દેવદ્રવ્ય જાણવું. એવો અભિગ્રહ સંકાશશ્રાવકે માવજીવ માટે કર્યો.
(K) મૂલશુદ્ધિપ્રકરણ -
तओ तेण भगवओ चेव पायमूले गहिओ अभिग्गहो जहागासाच्छायणमेत्तं मोत्तूण सेसं जं किंचि मज्झ वित्तं भविस्सइ तं सव्वं चेइयदव्वं, जहा तत्थोकारइ तहा करेस्सामि, तओ अचिंतमाहप्पयाए अभिग्गहजणियकुसलकम्मस्स वित्थरिउमाढत्तो विभवेणं । पेच्छिउण य विभववित्थरं पमोयाइरेगाओ समुल्लसंत-सुभ-सुभयर-परिणामाइसयसमुब्भिज्जंतरोमंच कंचुओ करेइ जिणभवणाइसु ण्हवणऽच्चणबलिविहाणाई, पयट्टावए अट्ठाहियामहिमाओ विहइ अक्खयनी (नि) धियाओ कारवेइ जिण्णोद्धारे।
અર્થ: પછી સંકાશશ્રાવકે ભગવાનની પાસે જ અભિગ્રહ લીધો કે, ભોજન-વસ્ત્રની આવશ્યકતાથી અધિક જે કાંઈ ધન મને મળશે તે બધું દેવદ્રવ્ય થશે. જે રીતે ચૈત્યના ઉપયોગમાં આવશે એ રીતે (એનો ઉપયોગ) કરીશ. આ અભિગ્રહથી થયેલા પુણ્યના અચિન્ય મહિમાથી એનો વૈભવ વધવા માંડ્યો. એ જોઈને અત્યંત પ્રમુદિત થયેલા તેના