SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? ૧૩૫ શાસ્ત્રપાઠમાં વિધિ બતાવી જ છે. તેને જ અનુસરવામાં ઔચિત્ય છે. કુતર્ક કરીને શાસ્ત્રીય વ્યવસ્થાને દૂષિત કરવાની જરૂર નથી. પ્રશ્નઃ તપચિંતવણીના કાઉસ્સગ્નમાં જેમ શક્તિ હોય પણ ભાવના ન હોય તો તપમાં નીચે ઉતરવાની રજા મળે છે, તેવી રીતે સ્વદ્રવ્યથી પૂજા કરવાની શક્તિ હોય, પણ ભાવના ન હોય, તો પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી પૂજા કેમ ન કરાવવી? ક્રિયા કરતાં કરતાં જ ભાવ આવશે ને? કહેવાય છે કે આચાર, વિચારને પોષે છે. ઉત્તર : જેમ તપચિંતવણીના કાયોત્સર્ગમાં શક્તિ હોવા છતાં ભાવનાના અભાવમાં નીચે ઉતરી ઉતરીને નવકારશી સુધી ઉતરાય છે. પરંતુ જિનાજ્ઞાવિરુદ્ધ નવકારશીથી તો નીચે ઉતરી શકાતું નથી, તેમ જિનપૂજામાં પણ શક્તિ હોય છતાં ભાવના ન હોય, તો જેટલી ભાવના હોય તેટલું જ પોતાનું દ્રવ્ય વાપરીને પૂજા કરવાનું વિધાન છે. પરંતુ શાસ્ત્રજ્ઞા વિરુદ્ધ દેવદ્રવ્યથી પૂજા કરવામાં તો નુકશાન જ થાય છે. તદુપરાંત, ભાવનાની વૃદ્ધિ માટે પણ શાસ્ત્રોક્ત માર્ગોનું જ અનુસરણ કરવું હિતકર છે. શાસ્ત્રવિરુદ્ધ માર્ગોથી ક્યારેય ભાવનાની વૃદ્ધિ-પુષ્ટિ ન થાય. જો ગમે તે માર્ગથી ભાવનાની વૃદ્ધિ-પુષ્ટિ થતી હોય તો શાસ્ત્રોમાં ચોક્કસ પ્રકારના નિયમનો – આચાર સંહિતાઓ - સિદ્ધાંતો શા માટે જણાવ્યા ? સન્માર્ગ-ઉન્માર્ગની ભેદરેખા શા માટે પાડવામાં આવી ? - આ વિચારશો એટલે ભાવનાવૃદ્ધિનો માર્ગ યથાર્થ રીતે સમજાઈ જશે. પ્રશ્ન : દેવદ્રવ્યમાંથી સોના-ચાંદીના હાર બને, તો તેમાંથી ફુલનો હાર કેમ ન બને? ઉત્તર : સોના-ચાંદીના હાર વગેરે અલંકારો પ્રભુની અંગરચના માટે છે અને તે પ્રભુની માલિકીના જ રહે છે તથા દીર્ઘકાળ સુધી રહે છે અને એમાં ફક્ત નાણાં આદિનું સુવર્ણના અલંકારરૂપે રૂપાંતર થયું છે.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy