________________
૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
"देवगृहागतं नैवेद्याक्षतादि स्ववस्तुवत् सम्यग् रक्षणीयं सम्यग्-मूल्यादिયુવત્યા ર વિયં નતુ યથા તથા મોમ્' આમ કહીને જિનમંદિરમાં આવેલા નૈવેદ્ય અક્ષતાદિની પોતાની વસ્તુની જેમ રક્ષા કરવાની છે અને સારા મૂલ્ય વેચવાના છે. એને ગમે ત્યાં મૂકી દેવાના નથી.
-શ્રાદ્ધવિધિના પૂર્વોક્ત પાઠમાં સ્વગૃહચૈત્યમાં શ્રાવકે સ્વદ્રવ્યથી ધરેલાં અક્ષત-નૈવેદ્યાદિને વેચીને પ્રાપ્ત થયેલા પુષ્પભોગાદિનું શું કરવું તેની વ્યવસ્થા બતાવી છે. સંબોધ પ્રકરણમાં અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત રકમને પૂર્વનિર્દિષ્ટ સ્થાને (જીર્ણોદ્ધાર કે અલંકાર બનાવવામાં) નિયોજવાની કહી છે અને અહીં અક્ષત-નૈવેદ્યાદિના વેચાણથી પ્રાપ્ત પુષ્પભોગાદિને પૂર્વોક્ત રીતિથી શ્રીસંઘમંદિરમાં ચઢાવવાના કહ્યા છે; અહીં બંને ગ્રંથની વિગતમાં એક મહત્ત્વનો ફેરફાર એ છે કે, સંબોધપ્રકરણમાં અક્ષતાદિના વેચાણથી પ્રાપ્ત થતી “રકમ' જણાવી છે અને શ્રાદ્ધવિધિમાં અક્ષતાદિના વેચાણથી પ્રાપ્ત થતા “પુષ્પભોગાદિ જણાવ્યા છે. અહીં એમ જણાય છે કે, વસ્તુના બદલામાં બીજી વસ્તુ લેવાની પદ્ધતિ પ્રચલિત હશે, ત્યારે ગૃહમંદિરવાળો શ્રાવક માળી પાસે ફૂલો મંગાવતો હશે, ત્યારે તે ફૂલોના બદલામાં અક્ષતાદિ તેને અપાતા હશે. એટલે ગૃહમંદિરમાં ધરેલાં અક્ષતાદિથી પુષ્પાદિ શ્રાવકને મળતા હશે અને તેવા પુષ્પોનું શું કરવું, તેની વિધિ પૂર્વોક્ત પાઠમાં બતાવી છે. એટલે ગૃહમંદિરમાં ચઢાવેલાં અક્ષતાદિના બદલામાં પુષ્પભોગાદિ આવ્યા છે. તો તેને ગૃહમંદિરવાળો શ્રાવક યોગ્ય વ્યવસ્થા થાય તે માટે સંઘના જિનમંદિરમાં આપે તેમ કહ્યું છે.
અહીં યાદ રાખવું જરૂરી છે કે, શ્રાદ્ધવિધિના પૂર્વોક્ત પાઠની પૂર્વે ચર્ચાયેલી વિગતોમાં શ્રાવક ભોગ-ઉપભોગ એમ બંને પ્રકારના દેવદ્રવ્યને પોતાના કાર્યમાં વાપરે નહીં એવું સ્પષ્ટ કહ્યું જ છે. તેથી અક્ષતાદિના વેચાણથી પ્રાપ્ત “રકમ હોય તો તેને જીર્ણોદ્ધાર (દેવદ્રવ્ય) ખાતામાં મૂકે અને તેના વેચાણથી પ્રાપ્ત “પુષ્પભોગાદિ હોય તો તેને સંઘના મંદિરમાં મૂકે. તેનાથી પુનઃ જિનપૂજા ન કરે, પરંતુ તે પ્રાપ્ત “પુષ્પભોગાદિની