SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) દખ્ખણમાં જૈનધર્મ, આજે તે મોટે ભાગે જીર્ણ થઈ ગયેલાં દેવાલ, તેમજ શિલાલેખો અને ગ્રન્થ ઉપરથી જણાઈ આવે છે કે મહારાષ્ટ્રમાં તેમજ કાની ભાષા બોલતા પ્રદેશમાં એટલે કે વર્તમાન મુંબઈ ઇલાકાના દક્ષિણ ભાગમાં, મદ્રાસ ઇલાકાના ઉત્તર ભાગમાં, કુર્ગમાં તથા હૈદરાબાદના અને મિસુરના રાજ્યમાં અનેક જૈનધર્મીઓ હતા અને એ ધર્મ ખુબ ઉન્નતિ પામ્યું હતું. એ પ્રદેશમાં રાજ્ય કરનાર અનેક રાજાઓ જોઈએ તે પોતે જ જૈન હતા અથવા તે કમમાં કમ પિતાના અનેક પ્રજાજનેના એ ધર્મને દાનથી અને બીજી રીતે સારી રીતે આશ્રય આપતા. - ઈસ્વીસનના શરૂઆતના સૈકામાં મહારાષ્ટ્રની રાજધાની ( આજના હૈદરાબાદ રાજ્યમાં ગોદાવરીને કાંઠે) પ્રતિષ્ઠાન નગરીમાં હતી. તે વેળાની ત્યાંની મહારાષ્ટ્રી-પ્રાકૃત ભાષાને ઉપયોગ શ્વેતા ખરેએ પોતાના ગ્રન્થ લખવામાં કર્યો. અહીંના રાજા શાલિવાહને (પૃ. ૪૫ જેશે.) સ્થાપેલા રાજવંશમાં થયેલા રાજા સાતવાને પ્રાકૃત ગાથાઓને એક પ્રખ્યાત ગ્રન્થ રચ્યું કે તેને સંગ્રહ કર્યો એમ કહેવાય છે. જેનો એની પિતાના ચાર (વિકમાદિત્ય, શાલિવાહન, મુંજ, ભેજ) વિદ્વાન રાજાઓમાં ગણના કરે છે. આશ્વવંશને શાલિવાહન નામ ધારણ કરનાર રાજા પિતાના હેવાને જે દાવે જેનો કરે છે, તે ખરે જ સાચે છે કે કેમ તે શંકાસ્પદ છે, કારણ કે ધ્યાન માં રાજ્ય કરતા આજ વંશના રાજાઓ આગ્રહી બાદ્રો હતા અને શમાવતીના સ્તૂપમાં ગૌતમના ધર્મનું સુન્દર સ્મારક કરાવી ગયા છે, એમાં તે કશી શંકા નથી. - પશ્ચિમથી પૂર્વ કાંઠા સુધીના સમસ્ત દ્વીપકલ્પ ઉપર જૈન ધર્મને પ્રભાવ ફરી વળ્યું હતું. લેખે અને બીજાં સ્મારકે ઉપરથી જણાઈ આવે છે કે મહારાષ્ટ્ર ભાષા બોલતા સમસ્ત પ્રદેશમાં તેમજ કાન અને તેલુગુ પ્રદેશમાં ઠેઠ ઓરિસ્સા સુધી (પૃ. ૩૮. શે) એ ધર્મને પ્રભાવ ફરી વળે હતે. આજના
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy