SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ર -- સાલે પ્રચાર કર્યો છે, ગમે તે એ સિદ્ધાન્ત એમણે જેના સંપ્રદાયમાંથી લીધા હોય કે ગમે તે એ મહાવીરની સાથે રહેતા હતા તે સમયમાં એમણે પ્રતિપાદન કર્યા હોય અને તે વેળાના પિતાના શિષ્યને એ ઉપદેશ્યા હોય (એમ થયેલું બહુ સંભવતું નથી ), એમના અનેક સિદ્ધાન્ત અને વિશેષે કરીને પુનર્જન્મને સિદ્ધાન્ત જેન રિદ્ધાન્તોથી સ્પષ્ટભાવે જુદે પડે છે. પ્રારબ્ધવાદના વિખ્યાત સિદ્ધાન્તને એ પ્રચાર કરતા તે ઉપરાંત પુનર્જન્મના સિદ્ધાન્ત વિષે એક વિશિષ્ટતા એમણે પિતાના સમ્પ્રદાયમાં આણી હતી. એમને એ મત હતું કે જીવને અનેક પ્રકારના વિવિધ ભવમાં અવતરવું પડે છે અને છેવટે નિર્વાણપદ પામતા પહેલાં છેલ્લા ભવમાં સાતવાર ખોળિયાં બદલવાં પડે છે, એટલે કે કઈ મૃત્યુ પામેલા દેહમાં પિશીને નવેરૂપે જીવનચર્ચા કરવી પડે છે. આમ થયા પછી જ નિર્વાણપદ પામી શકાય છે. પિતે પણ ૧૩૩ વર્ષના ગાળામાં સાતવાર ળિયાં બદલ્યાં છે, એમ ગોસાલ કહેતા. છવાર ખેળિયાં બદલ્યા પછી અંતે છેલ્લીવાર શ્રાવતી માં શોસાનના શબમાં એમણે પ્રવેશ કર્યો. અને ત્યાં સેળ વર્ષ રહ્યા. આ સિદ્ધાન્તને આધારે ગસાલ કહેતા કે મહાવીરના પૂર્વે જે સાલ શિષ્ય હતા તેનું તે મેં માત્ર ળિયું ગ્રહણ કર્યું છે, બાકી મારા જીવ સાથે એ ગેસલને કંઈ લેવા દેવા નથી, કારણ કે એ તે મરી ગયે છે અને એને જીવ દેવલોકમાં પુનર્જન્મ પામ્યો છે. મહાવીરના શિષ્યમાંથી માત્ર ગેસલ જ તેમનાથી જુદા પડયા હતા એવું કંઈ નહોતું. એમના સંઘમાં બે વાર કલહ થયા હતા અને તેથી તેમાં ફાટ પડી હતી, પણ તે બહુ મહત્વના કલહ નહોતા; છતાંયે એમાંથી સમ્પ્રદાય વિષે ચર્ચા ઉભી થઈ હતી. - - -
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy