SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) પદાર્થોની સાંકળ જ છે, એ પદાર્થોની પ્રતિમાથી ઉત્પન્ન થયેલુ રૂપ છે. અહમના નાસ્તિત્વના આ સિદ્ધાન્તૌદ્ધધર્મીમાં સદા મહત્ત્વના મનાયેા છે,૨૧ અને સ્વાભાવિક રીતે જ જૈનધર્મીમાં મનાતા જીવતત્ત્વની કેવળ વિરૂદ્ધના છે. જ્ઞાનના, નીતિના, કર્માંના અને ખાસ કરીને નિર્વાણના સિદ્ધાન્તમાં તેમજ બીજા અનેક મહત્ત્વના સિદ્ધાન્તામાં એ એ ધર્મમાં ઘણા ક્રૂર છે. જૈનો માને છે કે જીવને જે પુદ્ગલ તત્ત્વા ઘેરી રહ્યાં છે તેને વિરતિદ્વારા તે દૂર કરે અને તેમાંથી નીકળી પેાતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે ત્યારે તે નિર્વાણુ પામે. પછી તે લોકને શિખરપ્રદેશે ચડે અને પવિત્ર વ્યક્તિગત, સઅલૈાકિક શક્તિઓ પ્રાપ્ત કરીને શુદ્ધ સ્વરૂપે શાશ્વત કાળ સુધી ત્યાં રહે. એથી વિરૂદ્ધ ઔદ્ધો માને છે કે અહમના કલેશજનક ક્ષણુસ્થાયી નાશવન્ત તત્ત્વનું જ્ઞાન થાય એટલે સ્કન્સને ફ્રી બંધનમાં આવવું પડતું નથી અને ધર્માંશાન્તિની સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યાં સુધી ક્રમની સત્તાએ સ્કન્ધ મરણુ પછી નવ નવા અધ નમાં જન્મ લીધા કરે છે. એ એ ધર્મના સિદ્ધાન્તામાં માટે ભેદ પાપના નિય સંબંધે છે. બહારના જીવની હિંસા થાય એટલે જૈના પાપ થયુ માને છે અને તેથી અજાણ્યે થયેલી હિંસાને પણ પાપ માને છે. મનની વૃત્તિ ઉપર પાપના આધાર છે એમ મોઢો માને છે એટલે જાણીજોઈને કરેલી હિં`સાને જ પાપ માને છે. એ એ ધની આજે જે સ્થિતિ થઇ છે તેનુ કારણ પણુ એ છે કે તેમની સમાજરચનામાં પણ મોટા ભેદ છે. ખોદ્રાએ જે સંઘ માં તેમાં સાધુ અને સાધ્વી એ એને જ સ્થાન આપ્યું; ગૃહસ્થાને સ ંઘબહાર રાખ્યા. સાધુઓને અને સાધ્વીને પેાતાના જીવનનિર્વાહ માટે ગૃહસ્થા ઉપર બધે। આધાર રાખવા પડતા, તાણુ સાધુઓના ચારિત્ર ઉપર ગૃહસ્થાના કશે અંકુશ નાતા અને તેમના ધાર્મિક જીવનમાં પણ ગૃહસ્થાના સંબંધ પ્રમાણમાં બહુ શિથિલ હતા. જૈનોના સઘ મૂળથી જ ચતુનિષ હતા, કારણકે તેમાં સાધુ અને સાધ્વી ઉપરાંત શ્રાવક અને શ્રાવિ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy