SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૦ ) બીજી કથા પ્રમાણે પાર્શ્વનાથના બીજા એક અનુયાયી સાધુ મદ્ ગલાયને, મહાવીર ઉપરના દ્વેષભાવને કારણે, ધર્મની સ્થાપના કરી અને શુદ્ધદનના પુત્ર બદ્ધને ઈશ્વર કહ્યો કે બદ્ધધર્મ જૈનધર્મમાંથી ઉત્પન્ન થયે છે એમ પ્રથમ તે યુરોપિયન પંડિત ( કલબુક, પ્રિન્સેપ, સ્ટિવન્સન, એ. ટેમસ ) પણ માનતા. મહાવીરના મુખ્ય શિષ્યનું નામ ગોતમ હતું અને તેથી એને જ ગૌતમબુદ્ધ માની લઈને એ પંડિતે પિતાના એવા અનુમાન ઉપર આવ્યા હતા. બીજી બાજુએથી બૈઠે જૈનેને પાખંઘ કહે છે અને બદ્ધ ગ્રન્થમાંથી ચોરી કરીને જેનોએ પિતાને ધર્મ સ્થાગે છે એ આરેપ કરે છે. ગયા સૈકાના અનેક યુપિયન સંશોધકોને પણ એ મત હતો કે જૈનધર્મ જૈદ્ધધર્મને સમ્પ્રદાય છે. “બદ્ધધર્મ અવનતિ પામવા લાગે, તે સમયે તેમાંથી જૈનધર્મની ઉત્પત્તિ થઈ૮ ” એમ વિસન અને બેન્કી જેવા ભારતસંશોધક માનતા, ત્યારે વળી કિ. લાસન જેવા એને ઈ. સ. ૧-૨ સૈકામાં અથવા એ. વેબર જેવા બૈદ્ધધર્મનાં શરૂઆતનાં સૈકામાં ઉત્પન્ન થયેલ માનતા. એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે એવું સાબીત કરવાના એ બધા જે પ્રયત્ન હતા. તેની ભૂલ છેવટે ઍચ. યાકેબીએ ભાંગીને સ્પષ્ટ રીતે સાબીત કરી આપ્યું કે એ બે ધર્મમાં જે સમાન અંશે છે, તે ઉપરથી એમ સાબીત થઈ શકતું નથી કે એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે છે. જૈનધર્મમાં અને બૈદ્ધધર્મમાં અનેક સમાન અંશે છે એ વાત સાચી છે અને બ્રાહ્મણ લેખકે એ એ બે ધર્મને એકઠા ગુંચવી નાખ્યા છે, તે ઉપરથી પણ એ વાત સ્પષ્ટ રીતે સાબીત થાય છે. એ બે ધર્મના કેટલાક અંશે તે કેવળ સરખા જ છે, બન્ને વેદની સતાને અનાદર કરે છે અને બ્રાહ્મણના ગુરુપદ તથા યજ્ઞ સામે વાંધો ઉઠાવે છે. બંને સર્વશ્રેષ્ઠ સગુણ ઈશ્વરને અસ્વીકાર કરે છે, બંનેએ તે સમયને અનુકૂળ સન્તપુરુષને સ્વીકાર્યા, અને બાહ્ય સ્વરૂપે મળતાં આવે એવાં (મંદિરે, સ્ત, ચૈત્યે)
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy