SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૩) ત્યાં માતા અને બાળક તીર્થંકરની પૂજા કરે છે અને ત્યારપછી જિનની સમક્ષ ફઈ બાળકનું નામ પ્રસિદ્ધ કરે છે. ત્યારપછી બીજી પણ કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે. ઘરની અન્દરની જિનપ્રતિમા સામે પણ કેટલીક ક્રિયાઓ કરવાની હોય છે. આ પ્રમાણેને વિગતવાર ને સંપૂર્ણ નામકરણ સંસ્કાર તે પ્રથમપુત્રને પ્રસંગે જ કરવામાં આવે છે; બીજા પુત્રને પ્રસંગે એ સંસ્કાર સાદી રીતે કરી નાંખવામાં આવે છે ને પુત્રીઓનાં નામ તે વિનાસંસ્કારે જ માતા પાર્વ દે છે. જે નામે કથાઓમાં ને ધર્મગ્રન્થમાં આવે છે તેવાં નામે પાડવાં એ સારું ગણાય છે; જેમ કે નાખવદાસ (ાષભદાસઋષભ દાસ), અજિતપ્રસાદ (અજિતની કૃપા પામેલે) વગેરે. હિન્દુઓની પેઠે જૈનો પણ કેટલીક વાર સાદાં નામ પાડે છે; જેમકે ઘેડુ (મરાઠી, પત્થર), કલાપ્પા ( કાન, વન) વગેરે. કેટલીક વાર કુડા અસુરોને રીઝવવા માટે પણ આવાં નામ પાડવામાં આવે છે, જેથી પછી એવાં નામવાળાને એ નડે નહિ. પુત્ર હોય તે તેને છઠ્ઠ માસે, પુત્રી હોય તે તેને પાંચમે માસે પ્રાશન સંસ્કાર કરાવવામાં આવે છે. ગુરૂ કેટલીક ક્રિયાઓ કરાવે છે, ત્યારપછી માતા કુળદેવીને ધરાવેલ ખેરાક બાળકના મેંમાં મૂકે છે. બાળક જ્યારે ૩, ૫ કે ૭ વર્ષને થાય છે, ત્યારે ગુરૂ તેને વધ સંસ્કાર કરાવે છે. આ સંસ્કારમાં માતાઓની વિધિપુરસર પૂજા કરવામાં આવે છે અને તે સમયે ભણાતા મત્રોમાં જણાવ્યા પ્રમાણે બાળકને જૈનધર્મમાં લેવાની ક્રિયારૂપ તેના કાન વિધવામાં આવે છે. ત્યારપછી ગમે તે સમયે ગુદા સંસ્કાર કરવામાં આવે છે. ગુરૂ માતાઓની પૂજા કરે છે, પછી વાળંદ બાળકનું માથું મુંડે નાખે છે; ઉપરના ત્રણ વર્ણન છેકરાને માથે વચ્ચોવચ એટલી રહેવા દે છે.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy