SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) પુરૂષ આમાંની કેઈ પણ શક્તિને પ્રગ સ્વેચ્છાએ કરતા નથ; એને હેતુ તે જીવને પુગલમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરવાને, કર્મને ક્ષય કરવાને ને નિર્વાણ પામવાને હોય છે. ગુસ્પદ, જેનેના જીવનું કલ્યાણ થાય એવા પ્રયત્ન સાધુઓ અને સાધ્વીઓ સદા કરે છે અને તેમાં ય સ્વભાવિક રીતે ખાસકરીને સાધુએ તેમને ઉપદેશ આપે છે, વિવેચનથી અને સુન્દર દષ્ટાતેથી ધર્મગ્રન્થ સમજાવે છે, તેમની પાસે પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત કરાવે છે અને એમ અનેક રીતે સાધુઓ સંઘને લેકનું નૈતિક અને ધાર્મિક જીવન ઉન્નત કરવા પ્રયત્ન કરે છે. સાધુ હોય કે શ્રાવક, પુરૂષ હોય કે સ્ત્રી, સે પોતાના ગુરૂ પાસેથી જે શિક્ષણ પામે છે તેને માટે તેમને પાર વિનાને ઉપકાર માને છે. જૈન રાજાઓએ એટલા માટે પોતાના ગુરૂ પ્રત્યે અતિશય માનવૃત્તિ રાખી હોય અને તેમને સત્કાર કર્યો હોય એવાં દષ્ટાન્ત ઈતિહાસમાં અનેક છે. ધાર્મિકપદે સ્થપાયેલા ગુરૂની સેવા ને સત્કાર કરનાર શ્રાવકનું ઐહિક અને આમુર્મિક જગતમાં કલ્યાણ થયું હોય એવી અનેક કથાઓ છે. ગુરૂને વન્દન કરવું એ પ્રત્યેક શ્રાવકને વિશિષ્ટ ધર્મ મનાય છે અને તેનું વર્ણન અનેકવિધ કરવામાં આવ્યું છે. શ્રાવકે ગુરૂનું નવધા વન્દન કરવાનું છેઃ ૧ તેમને પગે લાગવું, ૨ ઉંચું આસન આપવું, ૩ તેમના પગ દેવા અને જે જળથી પગ ધોયા હોય તે જળને કપાળે સ્પર્શ કર, ૪ તેમની સ્તુતિ કરવી, ૫ તેમના તપ (ચારિત્ર)ની સફળતા ઈચ્છવી, ૬. તેમના પ્રત્યે મનથી, ૭ વાણીથી ને ૮ કર્મથી શુદ્ધ રહેવું અને ૯ તેમને ચગ્ય આહાર આપ.૨૭ શ્રાવકે નિત્ય જે ખટકર્મ કરવાના છે તેમાં ગુરૂને વન્દન કરવાનું પણ છે અને તેને સંબંધ સામાયિક સાથે પણ છે. આવર્તનના જે વિવિધ પ્રકારના વિધિ, તેને ઉલ્લેખ ૩૮૩ મા પૃષ્ઠ ઉપર કર્યો છે. મૂર્તિપૂજાના વિરોધી સમ્પ્રદામાં ગુરૂવન્દનને ખાસ મહત્વ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy