SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫૦) દેષ કરે છે. બની શકે એટલાં બહાનાં કાઢીને દ્રવ્ય સ્વીકારતાં અને સાથે ફેરવતાં પણ સકેચાતા નથી અને વળી એ બચાવ કરતાં શરમાતા નથી કે “મહાવીરે ધાતુના સિક્કા રાખવાને નિષેધ કર્યો છે, બેંકની નોટ રાખવાનો નિષેધ કર્યો જ નથી.” એમના આચાર્યો મેટી મેટી સંસ્થાઓની વ્યવસ્થા ચલાવે છે અને પિતાની પાછળ એ વ્યવસ્થા આવા શિષ્યોને સેપે છે. એમને એથી જે મોટાં સાધન મળી જાય છે તેને કારણે તેઓ એશ્વર્યને ને નોકરેને માટે ભપકો મારે છે. વળી આ ગેરઇઓ પાસે જાદુવિદ્યા હોય છે એમ માનવાથી અનેક શ્રાવકો તેમનાથી ડરે છે અને તેઓના આચાર વિચાર સાધુગ્ય નહિ હોવા છતાં મેં તેમને દાન આપે છે. સાધુઓના:સાંસારિક ભાવને દૂર કરવા ઘણું સુધારકે પણ ઉત્પન્ન થયા છે, તેઓએ સંઘને પાછે શુદ્ધ કરવાના પ્રયત્ન કર્યા છે. ૧૭ મા સૈકામાં શ્રીમાનું યશેવિજયે આ દિશામાં જે પ્રયત્ન કરેલા, તેમને સંરક્ષક વિચારના શ્વેતામ્બરેએ સારી પેઠે મહત્ત્વ આપેલું. એમના નવા સંપ્રદાયના સાધુઓ અશુદ્ધ યતિઓથી જુદા દેખાવાને માટે, પોતે તને બદલે કેશરી આ વસ્ત્ર પહેરે છે, ને તે સાધુ સંવેગી કહેવાય છે. એ સાધુએ પોતાના શુદ્ધ આચારવિચારથી સારૂં માન પામે છે; યાકેબી માને છે કે તેમની સંખ્યા ૨૫૦ ના આશરાની છે. સ્થાનકવાસીઓ પણ પ્રાચીન સંઘની અર્વાચીનમાં અવનત થઈ ગયેલી સ્થિતિની સામે તેને સુધારવાને ઉઠેલા તેથી તેમના આચારવિચાર પણ શુદ્ધ મનાય છે ને તેઓ શાસ્ત્રની આજ્ઞા બરાબર પાળે છે એમ મનાય છે. વેતામ્બર અને સ્થાનકવાસી સમ્પ્રદાયની સાધ્વીઓ પણ સાધુના જેવા જ રંગનાં વસ્ત્ર પહેરે છે. ખભે નાખવાનું વસ્ત્ર માથા ઉપર નાખે છે, જેથી દષ્ટિ ઢંકાય. એમને પણ સાધુના જેવાં જ વ્રત પાળવાનાં હોય છે; એમની જ પેઠે સાધ્વીઓને પણ માથાના વાળ ચુંટી કે કાતરી નાંખવાના હોય છે. સાધ્વીઓ બબ્બે કે ત્રણ ત્રણ સાથે ફરે છે ને ઉપાશ્રયમાં રહે છે, એ ઉપા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy