SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ર૮) જુદા જુદા વિભાગના પુએ સહભેજન કરવા લાગ્યા છે અને એમ ઉઘાડી રીતે નાતના કાયદાએ ઠરાવેલા ભેદભાવ ઉપર પુલ બાંધી રહ્યા છે. આ બધા પ્રયત્ન ગમે એટલા સ્તુત્ય હોય તે પણ સાચી રીતે એનું પરિણામ હજી બહુ આવ્યું નથી, કારણ કે ઘણખરા જૈન પ્રાચીન કુળાચારને વળગી રહે છે. એટલે જૈન હિન્દુઓ કરતાંએ પિતાની નાતના અલગ રહેવાના સ્વભાવને બહુ દઢતાથી વળગી રહે છે. ૧૪ હાલના જેનો કઈ કઈ નાતમાં છે એ બાબતની હકીક્ત દુકામાં નીચે આપી જાઉં છું. એ ઉપરથી બધી સંપૂર્ણ હકીકત મળી રહેશે, અથવા તે એ કે કેવી રીતે પિતાને વિકાસ કરે છે તેના સમ્બન્ધમાં પૂરી માહિતી મળી જશે એમ માનવાનું કારણ નથી. જેન બ્રાહ્મણની સંખ્યા તે આજે છેક થી છે; હજી એવા લેક દક્ષિણ ભારતમાં છે.૧૫ વસતિપત્રકમાં કેટલાક આવાની નેધ છે. વડોદરામાંના પાડે મૂળે શ્રીમાળી બ્રાહ્મણ કહેવાય છે, તે મારવાડમાંથી આવેલા અને કુમારપાળના સમયમાં જૈન થયેલા એમ કહેવાય છે. રાજપુતાનાના ભેજક અને સેવક પિતાને બ્રાહ્મણ કહે છે, પણ બ્રાહ્મણે એમને બ્રાહ્મણ માનતા નથી, કારણ કે તે જૈન દેવાલયમાં પૂજા કરે છે. વેતામ્બરેનાં દેવાલયમાં પૂજારીએ કંઈક અંશે બ્રાહ્મણ હોય છે, પણ તે જૈનશાસ્ત્રના વિધિ પ્રમાણે પૂજા કરવાને નિમાયેલા હોવા છતાં જૈન નથી હોતા. એક વાત નેંધવા જેવી છે કે અમુક ધર્મમાં પૂજાનું અમુક કાર્ય કરવાને નિમાયેલા માણસે તે ધર્મના હોતા નથી એવું ભરતખંડમાં વારંવાર જોવામાં આવે છે, જેમકે અમૃતસરના શીખગુરૂદ્વારમાં વાદ્ય વગાડનારા રબાબી તે શીખ નહિ પણ મુસલમાન ધર્મના અમુક ગાયક વર્ગના હોય છે. પશ્ચિમ કિનારા ઉપર કેટલાક જૈન કંઈક અંશે વંશપરંપરાથી ધાર્મિક ક્રિયા કરાવે છે ને ઉપાધ્યાયની પદવી ધરાવે છે, પણ ઘણું ખરું તે બ્રાહ્મણ હતા નથી. ક્ષત્રિય વર્ગમાંથી જૈનધર્મની ઉત્પત્તિ થયેલી છે, અને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy