SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૩) પિતાના ઈન્દ્રિયાતીત જ્ઞાનને બળે વિશ્વના જીવજગતમાં સંપૂર્ણ અન્નદ્રષ્ટિ નાખી શકનારા પુરુષે આ અવસપિણમાં જબૂસ્વામી પછી થયા નથી. જીવજગતનું સૈ જ્ઞાન ત્યારપછી માત્ર શાસ્ત્રોના અધ્યયનથી જ પ્રાપ્ત કરવું રહ્યું અને તેટલા માટે ભૂતકાળના કેવલીઓ વિષે વર્ણન કરતાં શાસ્ત્રોનું અધ્યયન કરવું રહ્યું. પણ સમય જતે ધીરે ધીરે તે વિષેની કથાઓને પણ નાશ થત ગયો અને અવસર્પિણ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેને વધારે વધારે નાશ થતો જાય છે. જમ્બુસ્વામીના તરતના શિષ્યોને બારે અંગનું જ્ઞાન હતું. ત્યારપછીના કેટલાકને ૧૧ અંગનું અને ૧૨ મા અંગના ૧૪માંથી ૧૦ પૂર્વનું જ્ઞાન હતું. ત્યારપછીના સાધુઓને માત્ર ૧૧ અંગનું જ્ઞાન હતું. વેતામ્બર મત એ છે કે એ ૧૧ અંગેનું જ્ઞાન તે આજ સુધી ચાલ્યું આવે છે, પણ દિગમ્બર મત એ છે કે થોડા વખત પછી એ ૧૧ અંગનું પણ જ્ઞાન લુપ્ત થયું હતું. વધારે ઓછા જ્ઞાનવાળા સાધુઓ કોણ કોણ હતા તે વિષે એ બે સમ્પ્રદાયમાં ભેદ છે. એ વિશેની હકીકત નીચે આપું છું. ૭ શ્વેતામ્બર મત. . . દિગમ્બર મત. ૧૨ અંગના જ્ઞાનવાળા શ્રુતકેવલી. પ્રભવ વિષ્ણુ શય્યદ્ભવ નંદિમિત્ર ચશભદ્ર અપરાજિત સભૂતવિજય ગવર્ધન શ્વેતામ્બર મત. દિગમ્બર મત. ભદ્રબાહું. સ્થૂલભદ્ર
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy