SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૯). સ્વીકાર્યું એટલે એ મહોત્સવની ભારે તૈયારીઓ થઈ ગઈ. બીજા બધા વિધિ કર્યા પછી, વરરાજા વરઘોડે ચડ્યા. ખૂબ શણગારેલા રથ ઉપર બેસીને લગ્નક્રિયા માટે માંડવે ચાલ્યા. ત્યાં તે માર્ગમાં ભયંકર ચીસે પાડતા પશુને જોયા, લગ્નના જમણને માટે એ પશુ તૈયાર કરી રાખ્યા હતા. આ દેખાવથી એમના હૃદયમાં દયાભાવ એ પ્રબળ જાગ્રત થયો કે તરતજ એમણે સંસારનો ત્યાગ કર્યો. સૈવત ( કાઠિયાવાડમાં ગિરનાર ) પર્વત ઉપર ચાલતા થયા, ત્યાં તપ કર્યું ને જ્ઞાનની ચરમસીમાએ પહોંચ્યા. કેવળજ્ઞાન પાયા) ત્યારપછી સૌને ધર્મને ઉપદેશ આપે. પાંડેને પણ સંસારત્યાગની પ્રેરણા કરી, તેથી તે પણ દીક્ષા લઈને નિર્વાણ પામ્યા. રૈવતક પર્વત ઉપર ૧૦૦૦ વર્ષની ઉમ્મરે, નમિનાથ પછી ૫૦૦૦૦૦ વર્ષે નેમિનાથ નિર્વાણ પામ્યા. એમનું અનુકરણ કરીને રાજીમતીએ પણ સંસારત્યાગ કર્યો ને સાધ્વી થયા. અરિષ્ટનેમિને ભાઈ નથમિ પણ સાધુ થયે. સાધુ થતાં પહેલાં રાજીમતી ઉપર એને બહુ મેહ હતું, તેથી એકાંત મળતાં તેમની સાથે લગ્ન કરવાની પોતાની ઈચ્છા એમને જણાવી, પણ રામતીના ઉપદેશથી એને ભાન આવ્યું, એટલે : ફરીને સંસારને એણે ત્યાગ કર્યો અને અન્ત નિર્વાણ પામ્યા. અરિષ્ટનેમિના પછી છેવટના એટલે ૧૨ મા ચક્રવતી થયા. ાિના રાજા ત્રહ્મને ઘરે તેની રાણી જુનીને પેટે એ અવતર્યા હતા. હજી તે એ બાળક હતા, તેવામાં રાજા બ્રહ્મ માંદા પડ્યા અને મરણ સમીપ આવ્યું છે એમ જાણીને, પિતાના ચાર મિત્રોને પોતાના પુત્રની સંપણી કરી. એ ચાર તેની પાડેશના રાજા હતા અને તેની સાથે એમનો મિત્ર સંબંધ ગાઢ હતો. આ ચારે રાજાએ મળીને તેમાંના એક કેશલના રાજા ઈને બધે કારભાર સેં, પણ દીઘે તે એ રાજપુત્રનું રાજ્ય પચાવી પાડયું, એટલું જ નહિ પણ વિધવા રાણુ સાથે પણ આડે વહેવાર બાંધો. અમાત્ય ધનુ એ દીર્થની ભ્રષ્ટતા બ્રહ્મદત્તના ધ્યાન ઉપર આણી ને એમણે પિતાની માતાને તથા દીઘને ઇસારે વાર્યા. એ બેએ એથી કેપીને બ્રહ્મદત્તને મારી નાખવાને
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy