SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ . (૨૯૦ ) તેણે ૧૪ પ્રખ્યાત સ્વમ જેયાં ને તેને અનુસરીને એને જે પુત્ર થયો તે સુભૂમ ચક્રવર્તી થયે. વિદ્યાધર મેન સુભૂમને પિતાની કન્યા આપી. એ વિદ્યાધરની સહાયતાએ સુભૂમ હસ્તિનાપુર ગયે અને પરશુરામને મારી નાખે. ત્યારપછી છ ખંડ ભરતવર્ષ એણે જીતી લીધું અને પરશુરામે ક્ષત્રિયને વધ કર્યો હતે એના વેરમાં તેણે બ્રાહ્મણસંહાર આરંભ્યો. અત્તે એને ધાતકીખંડના ભારત ઉપર પણ વિજય મેળવવાની અભિલાષા થઈ. એના સર્વ મંત્રીઓએ એને વાર્યો, છતાં યે એ અભિલાષાને માર્યો લવણસમુદ્ર ઓળંગવાને માટે ચર્મરત્ન ઉપર બેસીને ચાલ્યું. પણ જે દેવે એ વાહનને ઉપાડતા હતા તે થાકી ગયા ને તેમને વિશ્રામ લેવાની ઈચ્છા થઈ આવી, તેથી તે ચર્મરત્નને છેડી દીધું, પરિણામે સુભૂમ સમુદ્રમાં ડુબી ગયે ને પિતાના લભને લીધે નરકમાં ગયે. ત્યારપછીના સમયમાં કાશીના રાજા પ્રલિફ્ટ અને તેની રાણી જયન્તને ઘરે નન્દન અવતર્યા તે ૭ મા બળદેવ હતા અને બીજી રાણી શીવતી ને પેટે રર અવતર્યા તે ૭ મા વાસુદેવ હતા. વૈતાત્ય પર્વત પર આવેલા વિદ્યાધરનગર Íિપુર ને રાજા વાર તે ૭ માં પ્રતિવાસુદેવ હતે. એને દતે ઘેર્યો ને માર્યો. દત્તે ત્યારપછી અધી ભારતનું રાજ્ય કર્યું ને નરકમાં પડ્યો. નન્દન સાધુ થયા ને નિર્વાણ પામ્યા. - મલ્લી ૧૯મા તીર્થકર મિથિના માં (મથુરા માં) રાજા કુમ્ભ અને તેની રાણું રત્તિતા ને ( પ્રમાવતી ને ત્યાં જન્મ્યા હતા. દિગઅરેના મતે બીજા બધા તીર્થકરેની પેઠે મલ્લી પણ પુરૂષ હતા, અને બીજા તીર્થકરના જીવનની પેઠે જ એમનું પણ જીવન વ્યતીત થયું હતું, પણ શ્વેતાંબર મતે તે સ્ત્રીઓ પણ નિર્વાણ પામી શકે છે અને મલ્લી એક માત્ર સ્ત્રી તીર્થકર હતા. મલ્લીને જન્મ જગતમાં સ્ત્રીરૂપે થયે એ વિરલ પ્રસંગ વેતાંબર મતે આ પ્રમાણે બ. પૂર્વજન્મે તે રાજા મારા (વૈશ્રમ) હતા. છ મિત્રોની સાથે એમણે દીક્ષા લીધી અને સાધુ થયા. બીજા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy