SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૭) શાન્તિ ૫ મા ચક્રવતી અને ૧૬ મા તીર્થંકર હસ્તિનાપુરના રાજા વિશ્વસેન અને તેમની રાણું માને ત્યાં જન્મ્યા હતા. માતાના ગર્ભમાં હતા ત્યારે એમણે પ્રજાની અશાનિતને નાશ કર્યો તેથી એમનું નામ શાન્તિ પડ્યું. રાજદરબારના ઠાઠથી એ ઉછર્યા અને સુન્દરી યમતિ સાથે એમણે લગ્ન કર્યું. આ રાણીએ એકવાર સ્વમમાં મ્હોંમાં ચક પ્રવેશતું જોયું. શાન્તિએ એ વિષે ખુલાસો કર્યો કે “ પૂર્વ જન્મમાં રથ નામે મારે ભાઈ હતે, તે સર્વાર્થસિદ્ધ સ્વર્ગમાં છે, તે આપણું પુત્રરૂપે અવતરશે. તે જન્મમાં હું મેઘરથ હતો અને બાજના શિકારમાંથી પારેવાને બચાવવાને માટે એ બાજને મેં મારું માંસ આપ્યું હતું. એ ધર્મકાર્ય કર્યાને ફળે હું આ ભવે આ સ્થિતિમાં અવતર્યો છું. ” કાળે કરીને એમને પુત્ર થયે ને એનું નામ જાપુર પાડ્યું. શાન્તિએ સમસ્ત પૃથ્વી ઉપર પ્રભાવશાળી રાજ્ય ચલા વ્યું, આર્ય અને અનાર્ય સૈને પોતાના દડ નીચે આણ્યા. પોતાના રાજનગરમાં ૫ મા ચકવર્તપદે એમને અભિષેક થશે. ૨૫૦૦૦ વર્ષ રાજ્ય કરી એમણે સંસાર છોડ્યો અને પિતાના પુત્ર ચકાયુધને ગાદીએ બેસાડ્યો. તીર્થકર થયા પછી ચક્રાયુધને પિતાના પટ્ટશિષ્ય (ગણધર) બનાવ્યા ત્યારે ચકાયુધે પોતાના પુત્ર જવવાને ગાદીએ બેસાડ્યો. સંમેતશિખર ઉપર ૧૦૦૦૦૦ વર્ષ ની ઉમ્મરે ધર્મનાથ પછી ૩ સાગરેપમમાં રૂ પપમ ઓછું એટલે કાળે શાન્તિનાથ નિર્વાણ પામ્યા. ન્યુ ૬ ઠ્ઠા ચક્રવતી અને ૧૭ મા તીર્થંકર પણ હસ્તિનાપુરના રાજા સુર અને તેની રાણે શ્રીદેવીને ત્યાં જન્મ્યા હતા. તેમની માતાએ ગર્ભાવસ્થામાં કુંથુજાતિને રત્નસમૂહ જોયેલે તે ઉપરથી એમનું નામ કુળુ પાડ્યું. દિગ્વિજય કર્યા પછી ભારતવર્ષના એ ચકવર્તી થયા, ત્યારપછી એમણે દીક્ષા લઈ ધર્મોપદેશ કર્યો અને સમેતશિખર ઉપર ૫૦૦૦ વર્ષની ઉમરે શાન્તિનાથ પછી હું પામે એ નિર્વાણ પામ્યા. ઝર ૭ મા ચક્રવતી અને ૧૮ મા તીર્થંકર પણ હસ્તિનાપુરમાં રાજા સુદર્શન અને એની રાણું સેવીને (મિત્રને) ત્યાં જમ્યા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy