SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૩ ) ગવૈયા ગાન કરતા અને એ ગાનથી વાસુદેવ આનન્દ પામતા. શય્યાપાલને એમણે આજ્ઞા કરી હતી કે ‘ હું ઉંધી જાઉં એટલે ગવૈયાને રજા દઇ દેવી. ’ એક્વાર ગાનથી મુગ્ધ થઇ જઇને શય્યાપાલે ગવૈયાને રજા આપી નહિ અને પેાતે જ તેના આનન્દ લેવા લાગ્યા. ત્રિપૃષ્ઠ જ્યારે જાગ્યા ત્યારે પેાતાની આજ્ઞાના ભંગ થયેલા જોઇને એમને એવા તા ક્રોધ ચઢ્યો કે શય્યાપાલના કાનમાં સીસાના ને તાંબાના ધીગયીગત રસ રેડાવી દ્વીધેા. આ ભયકર સજાથી શય્યાપાલ મરણ પામ્યા. એક ંદરે કરેલાં બધાં પાપને ફ્ળે ત્રિપૃષ્ઠનું મરણ થતાં તેમને નરકમાં પુનઃવ મળ્યા. પેાતાના ભાઈના મૃત્યુથી અચલને એટલા ખેદ થયા કે એ સાધુ થઇ ગયા ને અન્તે નિર્વાણ પામ્યા. ૧૧ મા ને ૧૨ મા તીથંકરની વચ્ચેના કાળમાં ૐ પહ્યા૫મ સુધી તી વ્યવચ્છેદ ચાલ્યા. વાસુપૂન્ય ૧૨ મા તીકર સમ્બાનગરીમાં રાજા વત્તુપૂન્ય અને તેની રાણી ગયા ને ત્યાં પુત્રરૂપે અવતર્યાં હતા. તેમના પિતાના નામ ઉપરથી એમનું નામ વાસુપૂજ્ય પડયુ. ખીજો અભિપ્રાય એવા છે કે વસુ (દેવા)ના એ પૂજય હાવાથી પણ એ વાસુપૂજ્ય કહેવાયા. પેાતાના જન્મસ્થાન ચંપાનગરીમાં ૭૨૦૦૦૦૦ વર્ષોંની ઉમ્મરે, શ્રેયાંસ પછી ૫૪ સાગરોપમે એ નિર્વાણ પામ્યા.૬૩ વાસુપૂજ્યના સમયમાં દ્વારકાના રાજા ત્રહ્મા અને તેની રાણી સુમદ્દાને ઘેર વિનય અવતર્યાં તે ૨ જા બળદેવ હતા. એ રાજાને ખીજી રાણી મા ને પેટે દ્વિધૃષ્ઠ અવતર્યા તે ૨ જા વાસુદેવ હતા, વિનયપુરના રાજા શ્રીધરને તેની રાણી શ્રીમતીને પેટે તાર અવતર્યાં તે ર જો પ્રતિવાસુદેવ હતા. દ્વિપૃષ્ઠ' તારકને હૈરાગ્યે, તેનુ રાજ્ય લઇ લીધું ને દ્વારકામાં રહીને રાજ્ય ચલાવવા લાગ્યા. વાસુપૂજ્યે એમને જૈનધમ માં આણ્યા, પણ એમનાં પાપને ફળે નરકમાં જતાં બચી શકયા નહિ. વિજયે દીક્ષા લીધી ને નિર્વાણુપ્રાપ્તિ કરી. વાસુપુજ્યના મરણ પછી ૐ પલ્યાપમ સુધી તી વચ્છેદ ચાલ્યા.
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy