SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૯ ) ભુત સુમતિ દેખાડેલી તે ઉપરથી એમનુ' નામ સુમતિ પડ્યું. તે પ્રસંગ આમ છેઃ–એક માણસ પેાતાની પાછળ બે સ્ત્રી અને એક પુત્ર મૂકીને મૃત્યુ પામ્યું. ‘ એ છેકરા મારા છે’· એવા દાવા દરેક સ્ત્રી કરવા લાગી ને પેાતાની ફરિયાદ રાજા પાસે લઈ ગઈ. રાજા આ કઠણ પ્રશ્નના નિર્ણય કરી શકયેા નહિ, તેથી પેાતાની રાણીની સલાહ પૂછી. રાણીએ બીજી બધી સમ્પત્તિની પેઠે એ છેાકરાના પણુ એ ભાગ કરી દરેક ભાગ દરેક સ્ત્રીને આપવાની સૂચના કરી. પોતાના દીકરા માર્યા જાય, એ ન સહેવાયાથી સમ્પત્તિ અને છેકરા બધું ચ જતુ કરવાની સાચી માતાએ ઈચ્છા દેખાડી. જૂઠી માતા શાન્ત ઉભી રહી. આથી સાચી માતા પરખાઈ ગઈ. કર સુમતિએ પણ તીર્થંકરને ચેાગ્ય જીવન ગાળ્યુ. અને અન્તે સમેતશિખર ઉપર ૪૦૦૦૦૦૦ પૂર્વાની ઉમ્મરે, અભિનન્દનના નિર્વાણ પછી ૯ લાખ કોટિ સાગરાપમે એ નિર્વાણ પામ્યા. પત્રમ ૬ઠ્ઠા તી કર કૌશામ્બી ના(મુદ્દોશ ના) રાજા ધર્ (શ્રીધર ) અને તેની રાણી ચુસીમાને ત્યાં અવતર્યા હતા. જ્યારે એ ગર્ભમાં રહ્યા હતા, ત્યારે એમના માતાને પદ્મશય્યા ઉપર સુવાની ઇચ્છા થઇ, તેથી તેમનું નામ પદ્મપ્રભ પડ્યું'. એમણે તી કરયેાગ્ય જીવન ગાળ્યું અને સમેતશિખર ઉપર ૩૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, સુમતિનાથના નિર્વાણ પછી ૯૦૦૦૦ કાઢિ સાગરાપમે એ નિર્વાણુ પામ્યા. સુપાર્શ્વ ૭ મા તીકર કાશીના રાજા પ્રતિષ્ઠ અને તેની રાણી પૃથિવીને ત્યાં અવતર્યા હતા. જ્યારે એ ગમાં હતા ત્યારે એમના માતાને સુપાર્શ્વ (સારૂં પાસ) હતું તેથી એમનું નામ સુપાર્શ્વ પડ્યું. એમનાં માતાએ સ્વપ્નમાં પેાતાને નાગશય્યામાં સુતેલાં જોયા હતા અને જન્મવખતે તીથ કરની ચારે બાજુએ નાગ હતા, તેથી એમના છત્રમાં નાગનું ચિહ્ન હેાય છે. સમેતશિખર ઉપર ૨૦૦૦૦૦૦ પૂર્વની ઉમ્મરે, પદ્મપ્રભના નિર્વાણ પછી ૯૦૦૦ કટિ સાગરોપમે એ નિર્વાણ પામ્યા. પત્રમ ૮ મા તીર્થંકર જન્મપુરીના રાજા માસેન અને તેની
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy