SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ (૨ ) .. આ પાંચેય વર્ગના શલાકા પુરૂષનાં જીવનચરિત એકમેકનાની સાથે મેટે ભાગે મળતાં આવે છે. એમના ગુણ એકસરખા છે. ને જીવનના મહત્વના પ્રસંગે પણ એકમેકની સાથે એકસરખા હોય છે. ત્યારે જૈનોના જગદિતિહાસમાં પ્રવેશ કરીએ તે પૂર્વે આ શલાકા પુરૂષના ઈતિહાસની સ્થિતિ સંક્ષેપમાં જોઈ જઈએ. ૬૩ શલાકાપુરૂષ. ૨૪ તીર્થકર. તીર્થકરે એ જૈનોના પયગમ્બરે છે. એ ધાર્મિક મૂળતત્વે પ્રકટ કરે છે અને પોતાના ઉપદેશ અને આચાર દ્વારા પોતાના અનુયાયીઓને મેક્ષ અપાવે છે. તીર્થકર (તીર્થકર ) શબ્દને અર્થ યૂરેપમાં એ લેવાય છે કે “તારક, માર્ગદર્શક’ એટલે સંસાર સાગરમાં જે માગે થઈને ભક્તજન નિર્ભયતાએ જઈ શકે અને બધાં દુઃખને ડુબાવીને નિર્વાણ પામી શકે એ માર્ગ દેખાડનાર અથવા કાઢી આપનાર. પણ જેનો એ શબ્દને એ અર્થ લે છે કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર જૈનતીર્થને અસ્તિમાં લાવનાર પુરૂષ. તીર્થકર શબ્દને બદલે બીજા પણ કેટલાક શબ્દ વપરાય છે. એ નિન એટેલે જીતનાર કહેવાય છે, કારણ કે સંસાર પ્રત્યેના રાગદ્વેષને જીતીને મુક્ત થયા છે થર્વત એટલે પૂજા એગ્ય કહેવાય છે, કારણ કે એમના છે – નાર, ૧૧ . અમે એ વિષે અહીં કશું વધારે લખીશું નહિ, કારણ કે એમનું મહત્ત્વ ૬૩ શલાકાપુરૂષ કરતાં બહુ ઓછું છે ને જેને ગ્રન્થમાં પણ એમનું વર્ણન બહુ ઓછું છે.૪૦ તીર્થકરોના ૨૪ પિતા તેમજ ૭ ( ૧૪ ) કુલકર પણ શલાકાપુરૂષ જેવાં ગણાય છે; એમને વિષે યોગ્ય સ્થાને સંક્ષેપમાં વર્ણન આવશે. . . ' ક જિન શબ્દ તીર્થકરને માટે જ વપરાય છે એમ નથી. જેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવા સૌ મુક્ત થનાર પુરૂષોને માટે પણ વપરાય છે જેમકે શ્રવણબેલગોલાના લેખમાં બાહુબલિને જિન શબ્દ જ ઓળખાવ્યા છે ને ગન્ધર્વ પણ જિન કહેવાય છે, સામાન્ય જિનથી જુદા પાડવાને તીર્થકરને જિનેશ્વર કહે છે,
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy